પરમાણુ અધિકારો પર કોઈ બાંધછોડ નહીં થાય, ઈરાનનો અમેરિકા-ઈઝરાયેલને સ્પષ્ટ સંકેત
તહેરાન, 16 એપ્રિલ 2026: ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘેઈએ પરમાણુ સંવર્ધન કાર્યક્રમ અંગે ઈરાનનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, ઈરાન પોતાના પરમાણુ અધિકારો પર કોઈ પણ પ્રકારની બાંધછોડ કરશે નહીં. ઈરાનના સરકારી મીડિયા અનુસાર, બાઘેઈએ ભારપૂર્વક કહ્યું કે પરમાણુ ઉર્જા મેળવવાનો ઈરાનનો અધિકાર આંતરરાષ્ટ્રીય કાયદા અને પરમાણુ અપ્રસાર સંધિ (એનપીટી) પર આધારિત છે. […]


