અમદાવાદમાં પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં વારંવાર સર્વરમાં ખામી સર્જાતા અરજદારો પરેશાન

IELTSની પરીક્ષા માટે પાસપોર્ટની અરજી કરનારા વિદ્યાર્થી અટવાયા, પાસપોર્ટ કચેરી ખાતે વર્ઝન 0 શરૂ થયા બાદ સિસ્ટમમાં સર્જાતી ટેક્નિકલ ખામી, પાસપોર્ટની મુખ્ય કચેરીમાંથી પણ અરજદારોને સંતોષકારક જવાબ મળતો નથી અમદાવાદઃ શહેરમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો પર અરજદારો ઓનલાઈન એપોઈન્મેન્ટ મેળવીને તમામ દસ્તાવેજો સાથે જાય છે, ત્યારે સર્વરમાં વારંવાર ટેકનિક ક્ષતિ સર્જાતી હોવાથી અરજદારો દિવસભર પ્રતિક્ષા કરતા […]

ગુજરાતમાં આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 112 તાલુકામાં વરસાદ, નાંદોદમાં 9 ઈંચ

નર્મદા જિલ્લામાં મુશળધાર વરસાદ, લાછરસ ગામ બેટમાં ફેરવાયું, અનેક વાહનો તણાયા, ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના  અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોરે 4 વાગ્યા સુધીમાં 112 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં 9 ઈંચ વરસાદ પડતા અનેક ગામો બેટમાં ફેરવાયા છે. આજે સવારથી મેઘરાજા નર્મદા જિલ્લા પર વધુ મહેરબાન થયા હતા, તિલકવાડામાં […]

ગુજરાતમાં RTE હેઠળ વર્ષ 2025-26માં 95 હજાર બાળકોને પ્રવેશ ફાળવાયો,

ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશમાં ઐતિહાસિક વધારો, 12 વર્ષમાં સરકારે શાળાઓને કુલ રૂ. 3723 કરોડની ગ્રાન્ટ આપી વાલીઓની આવક મર્યાદામાં વધારો કર્યા બાદ RTE પ્રવેશમાં ધસારો રહ્યો ગાંધીનગરઃ દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમનું બાળક સારી શાળામાં ઉત્તમ શિક્ષણ મેળવી પોતાના અને પરિવારના સપનાઓ પૂરા કરે. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિની કારણે તેમનું આ સપનું સાકાર થઈ […]

અમદાવાદમાં કેસર કેરી મહોત્સવ દરમિયાન 4 કરોડની 3.30 લાખ કિલો કેરીનું વિક્રમી વેચાણ

અમદાવાદીઓએ મનભરીને કેસર કેરી આરોગી, ગ્રાહકોને સીધા વેચાણથી ખેડૂતોને 20 ટકા જેટલો વધારે નફો મળ્યો, અમદાવાદમાં વસ્ત્રાપુર હાટ ખાતે ખેડૂતો માટે 85 સ્ટોલ ઊભા કરાયા હતા  ગાંધીનગરઃ દેશના ખેડૂતોની આવક બમણી કરવા વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલી ઝુંબેશમાં સહભાગી થઇ ગુજરાત સરકાર પણ રાજ્યના ખેડૂતોની આવકમાં વધારો કરવા સતત પ્રયત્નો કરી રહી છે. સાથે જ, નાગરિકોને […]

ગુજરાતમાં મેઘમહેરઃ 163 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ સુરતમાં 13.6 ઇંચ

ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 163 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ 13.6 ઇંચ વરસાદથી સુરત ઘમરોળાયું હતું. તાપી અને સુરતમાં અવિરત વરસાદને કારણે કેટલીક શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. દરમિયાન રાજયમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. તેમાંય દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને લીધે 10 જળાશયો સંપૂર્ણ ભરાયા, 29 ડેમો 70 ટકાથી વધુ ભરાયા

ગત વર્ષે આ સમયે રાજ્યના 207 જળાશયોમાં 38.26 ટકા ભરાયા હતા, આ વખતે 207 જળાશયોમાં 46 ટકાથી વધુ જળ સંગ્રહ થયો, સરદાર સરોવર ડેમમાં 50 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ ગાંધીનગરઃ ચાલુ વર્ષે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થઇ ગયું છે, ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે અમરેલી જિલ્લાના ધાતરવાડી અને સુરજવાડી, સુરેન્દ્રનગરના વાંસલ, […]

અમદાવાદમાં 500 વર્ષ જૂના 9 દરવાજામાંથી વાહન વ્યવહાર બંધ કરવા ASIનો AMCને પત્ર

ઐતિહાસિક દરવાજા આસપાસના દબાણો દૂર કરવા માગ, હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની બેઠક બોલાવવા ધારાસભ્યએ પણ માગ કરી હતી, તાજેતરમાં દિલ્હી દરવાજાનો મધ્ય ભાગનો લાકડાનો દરવાજો ધરાશાયી થયો હતો અમદાવાદઃ શહેરમાં દિલ્હી દરવાજા, ત્રણ દરવાજા સહિત ઐતિહાસિક દરવાજાની મરામતના અભાવે દરવાજાઓ જર્જરિત બનતા જાય છે. અમદાવાદને વલ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળેલો છે. અને શહેરમાં ઐતિહાસિક દરવાજાઓ 6 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code