Site icon Revoi.in

મધુબન ડેમના 10 દરવાજા બે મીટર ખોલાયા, દમણગંગા નદીના હેઠવાસના ગામોને એલર્ટ કરાયા

Social Share

વલસાડઃ દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં સારોએવો વરસાદ પડતા જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. જેમાં મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને લીધે મધુબન ડેમમાં 1.50 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થતા ડેમની સપાટી 73.60 મીટરે પહોંચી હતી. આથી ડેમના 10 દરવાજા 2 મીટર ખોલીને દમણગંગા નદીમાં  14,62,542 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેથી નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

સિચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લાના મધુબન ડેમના કેચમેન્ટ અને ઉપવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. રવિવારે સાંજે 9 વાગ્યે 83,903 ક્યુસેક પાણીની આવક સામે 38903 ક્યુસેક પાણી છોડયા બાદ રાત્રે 8 વાગે 1,11,567 ક્યુસેક પાણીની આવક સામે ડેમ સત્તાવાળા દ્વારા તમામ 10 દરવાજા ખોલી 1,00,219 કયુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું. રાત્રે 8 વાગે ડેમની સપાટી 73.25 મીટર નોંધાઇ હતી. આજે સવારે પણ મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. દમણગંગા નદીના તટ વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. વહીવટી તંત્રએ ભરતી અને ઓટનો સમય સેટ કરીને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી દમણગંગા નદીના તટ વિસ્તાર રહેતા સ્થાનિક લોકોને નદીના પાણી ભરવાથી રાહત મળી હતી. વલસાડ જિલ્લા કલેક્ટરની કુશળતાને લઈને ડેમમાંથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે.  વલસાડ જિલ્લા કલેક્ટર, દાદરા નગર હવેલી અને દમણ કલેકટરના કોડીનેશન વડે ડેમના પાણીનું સુપેરે આયોજન કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રના અંતરિયા વિસ્તારમાં આવેલા ગામો જેવાકે મોખેડા, ડીંડોરી, હરસુલ, નાની પાલસાણ, ઓઝરખેડ અને મધુબન ગામોના વિસ્તરમાં પડી રહેલા મુશળધાર વરસદને લઈને મધુબન ડેમમાં વરસાદી પાણીની આકમાં સતત વધારો થતો જોવા મળ્યો હતો. રવિવારે સવારે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધીમાં દર કલાકે મધુબન ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતાં ડેમનું લેવલ જાળવી રાખવા માટે મધુબન ડેમમાંથી 10 દરવાજા 2 મીટર ખુલ્લા રાખીને દર કલાકે સરેરાશ 86,031 ક્યુસેક પાણી મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને લાઈને વલસાડ જિલ્લા કલેક્ટરે મધુબન ડેમના કેસમેન્ટ વિસ્તારમાં પડતા વરસાદને લઈને ડેમમાં વરસાદી પાણીની આવક વધતા ડેમનું લેવલ જાળવવા માટે દમણગંગા નદીમાં તબક્કાવાર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જેને લઈને દમણગંગા નદીના અસરગ્રસ્ત વિસ્તારો સેલવાસ, વાપી, ઉમરગામ, કપરાડા અને દમણમાં નદીના તટ વિસ્તારમાં આવતા ગામોના સ્થાનિક લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.