Site icon Revoi.in

રાજ્યપાલ-ઉપરાજ્યપાલોનું 51મુ સમ્મેલન યોજાયુ- પીએમ મોદી તથા અમિત શાહ રહ્યા હાજર,રાષ્ટ્રપતિ કોવિંદે કરી અધ્યક્ષતા

Social Share

દિલ્હીઃ- આજરોજ ગુરુવારના દિવસે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં રાજ્યપાલો અને ઉપરાજ્યપાલોની 51મી સંમેલનની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાજ્યપાલો અને લેફ્ટનન્ટ ગવર્નરો આ કોન્ફરન્સનો ભાગ બનવા માટે હાજર રહ્યા હતા. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ આ સંમેલનમાંહાજરી નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે ગવર્નરો, લેફ્ટનન્ટ ગવર્નરોની આ કોન્ફરન્સ એક પરંપરા છે, જે 1949થી ચાલી આવે છે. પ્રથમ સંમેલન 1949માં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયું હતું. તેની અધ્યક્ષતા ભારતના છેલ્લા ગવર્નર જનરલ સી રાજગોપાલાચારીએ કરી હતી.

જાણો આજના આ સમ્મેલનમાં શું થઈ ચર્ચા

મળતી માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિએ કોન્ફરન્સ દરમિયાન વર્ષ 2019 પછી નિયુક્ત થયેલા તમામ રાજ્યપાલો અને લેફ્ટનન્ટ ગવર્નરોને ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી, ત્યારબાદ ભૂતપૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહ, લાલજી ટંડન અને મૃદુલા સિંહાના નિધન પર શોક પણ વ્યક્ત કર્યો હતો.

આ સમગ્હ દરમિયાન કોરોના મહામારી પર રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે કોરોના મહામારીને કારણે અમે બે વર્ષના લાંબા સમયગાળા પછી મુલાકાત કરી રહ્યા છીએ. આ પ્રસંગે આપણે ફ્રન્ટલાઈન વર્કર્સને શ્રેય આપવો જોઈએ જેઓ કોરોના સામે લડવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.

આ સમ્મેલનમાં રાષ્ટ્રપતિએ ભારતમાં વહેલામાં વહેલી તકે રસી ઉપલબ્ધ કરાવવા માટે વૈજ્ઞાનિકો અને સાહસિકોના કાર્યની પણ પ્રશંસા કરી હતી. તેમણે કોરોના મહામારીને રોકવા માટે રાજ્યો દ્વારા કરવામાં આવેલા અથાગ પ્રયત્નો વિશે પણ ચર્ચા-પ્રશંસા કરી.

આ સાથે જ રાષ્ટ્રપતિએ આ મહિને ગ્લાસગો, સ્કોટલેન્ડમાં COP26 સમિટની પણ વાત કરી, જેમાં ભારતે 2070 સુધીમાં કાર્બન ન્યુટ્રલ બનવાનું વચન આપ્યું છે. કોવિંદે કહ્યું કે ભારત મોટી આર્થિક શક્તિ બનવાની સાથે પેરિસ જળવાયુ સમજોતાના વાયદા પર પણ મજબૂતાઈથી વિશ્વ સમક્ષ આવવા જોઈએ.