Site icon Revoi.in

ચીનના ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટઃ 3 વ્યક્તિના મોત, 27 ઘાયલ

Social Share

દિલ્હીઃ ભારતના પડોશી દેશ ચીનના યુન્ના પ્રાંતના યાંગ્બી યી સ્વાયત્ત કાઉન્ટમાં ભૂકંપના આંચકાથી 3 વ્યક્તિઓના મોત થયાં 8હતા. જ્યારે 27 લોકોને ઈજા થઈ હતી. ભૂકંપના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. રાતના પાંચથી ઓછી તીવ્રતાના ચારેક આંકડા આવ્યાં હતા. ત્યાર બાદ આફ્ટશોક આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. દરમિયાન ઉત્તર પશ્ચિમ ચીનના કિંગઘઇ પ્રાંતમાં શનિવારે 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો પરંતુ ભૂકંપના આ આંચકામાં કોઇ નુકસાન થયુ હોવાનું હજુ સુધી જાણવા મળ્યું નથી.

સત્તારુઢ પાર્ટી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના પ્રાંત પ્રમુખ યાંગ ગુઓજોંગે જણાવ્યું હતું કે, દાલી બાઇ સ્વાયત્ત પ્રાંતના તમામ 12 કાઉંટી અને શહેરોમાં ભૂકંપના આંચકા આવ્યા છે. સૌથી વધારે પ્રભાવિત યાંગ્બી છે. યાંગ્બી કાઉંટીમાં બે લોકોના અને યોંગપિંગ કાઉંટીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે. જ્યારે અન્ય 24 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર અનુસાર યાંગ્બીમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 11 વાગ્યા સુધી 5.0 ની તીવ્રતાથી પણ વધારેના ચાર ભૂકંપના આંચકા અનુભવાયા. આ વિસ્તારમાં રાતના 2 વાગ્યા પછી કેટલાક હળવા આંચકા આવ્યા હતા.

ચીનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉત્તર પશ્ચિમ ચીનના કિંગઘઇ પ્રાંતમાં શનિવારે 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સ્થાનીય અધિકારીઓ જણાવ્યુ કે અત્યારે કોઇ અન્ય નુકસાન કે મકાન ધરાશાયી થવાનાા સમાચાર નથી. સાથે વીજળી અને અન્ય સંચાર સુવિધાઓ પણ સામાન્ય છે. જો કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં પુલ તેમજ રસ્તાનો અમુક ભાગ તૂટી ગયો છે.