1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આણંદના ખાનપુર પાસે મહી નદીમાં નહાવા પડેલા એક જ પરિવારના 4 લોકોના ડૂબી જતાં મોત
આણંદના ખાનપુર પાસે મહી નદીમાં નહાવા પડેલા એક જ પરિવારના 4 લોકોના ડૂબી જતાં મોત

આણંદના ખાનપુર પાસે મહી નદીમાં નહાવા પડેલા એક જ પરિવારના 4 લોકોના ડૂબી જતાં મોત

0
Social Share

આણંદઃ રાજ્યમાં નદી, તળાવો કે કેનાલમાં ડૂબી જવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે આણંદના ખાનપુર નજીક મહી નદીમાં નહાવા પડેલા એક જ પરિવારના ચાર જણાં ડુબી જતાં આ વિસ્તારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, આણંદના ખાનપુર નજીકથી પસાર થતી મહી નદીમાં નહાવા પડેલા એક જ પરિવારના ચાર લોકોના ડૂબી ગયા હતા. ગામડી ગામના પરિવારના લોકો મહી નદીમાં નહાવા માટે ગયા હતા. ત્યારે એક મહિલા ડૂબવા લાગતા અન્ય ત્રણ સભ્યો પણ તેમને બચાવવા માટે ગયા હતા. જો કે, તેઓને તરતા ન આવડતું હોય તમામના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી ચારેય મૃતદેહોનો બહાર કાઢવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગામડી ગામમાં મસ્જીદની સામે રહેતાં વાઘેલા પરિવારના પાંચ સભ્યો ખાનપુર નજીકથી પસાર થતી મહિસાગર નદીમાં નહાવા માટે ગયાં હતાં. તેઓ નદીમાં નહાતા હતાં તે દરમિયાન પાણીના ધસમસતા પ્રવાહમાં વૈશુબેન રાજેશભાઈ સોલંકી ડુબવા લાગ્યાં હતાં. જેથી સુરેશભાઈ ઈશ્વરભાઈ વાઘેલા, પ્રકાશભાઈ બાબુભાઈ વાઘેલા અને જ્યોતિબેન પ્રકાશભાઈ વાઘેલા પોતાના જાનની પરવા કર્યાં વિના આ વૈશુબેનને બચાવવા નદીના ઊંડા પાણીમાં પડ્યા હતા. જોકે, તરતાં ન આવડતું હોવાથી આ ત્રણેય જણાં પણ પાણીમાં ડુબી ગયાં હતાં​​​​​​​ આ ઘટનાની જાણ થતાં આણંદ ફાયરબ્રિગેડની ટીમ રેસક્યું બોટ તેમજ તરવૈયાઓને લઈને સ્થળ પર પહોંચી હતી. જોકે, ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલાં જ સ્થાનિક તરવૈયાઓએ આ ચારેયના મૃતદેહોને નદીના પાણીમાંથી બહાર કાઢી લીધાં હતાં. ઘટનાની જાણ થતાંની સાથે જ સ્થાનિક ખંભોળજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. (File photo)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code