1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અનાજ, કઠોળ, ફળ શાકભાજી સહિત ચિજ વસ્તુઓના 25 કિલોથી વધુ પેકિંગ પર GSTમાં 5 ટકાનો ઘટાડો
અનાજ, કઠોળ, ફળ શાકભાજી સહિત ચિજ વસ્તુઓના 25 કિલોથી વધુ પેકિંગ પર GSTમાં 5 ટકાનો ઘટાડો

અનાજ, કઠોળ, ફળ શાકભાજી સહિત ચિજ વસ્તુઓના 25 કિલોથી વધુ પેકિંગ પર GSTમાં 5 ટકાનો ઘટાડો

0
Social Share

અમદાવાદઃ જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવ નિયંત્રણમાં લેવા માટે 25 કિલોથી વધુના પેકિંગ પર જીએસટી નાબુદ કરવાની રજુઆતો બાદ આખરે જીએસટી કાઉન્સિલ દ્વારા  અનાજ, કઠોળ, ફળ તેમજ શાકભાજીના 25 કિલોથી વધુના પ્રીપેક્ડ પેકેટ પરથી 5 ટકાનો જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આથી જથ્થાબંધ પેકેટમાં આવતી આ જીવનજરૂરી ચીજવસ્તુના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. નિર્ણયનો અમલ આજે તા. 15 જુલાઈથી થઈ ગયો છે.

જીએસટી કાઉન્સિલમાં લેવામાં આવેલા નિર્ણય અનુસાર જીવનજરૂરી વસ્તુઓને લગતા પેકિંગ મટીરિયલ પરનો જીએસટીનો દર પણ 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે. કૃષિ પેદાશો, બાગાયત તેમજ વન્ય પેદાશો અને દવાઓ માટે પેકેજિંગ મટીરિયલનો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. સ્ટીલ કે એલ્યુમિનિયમના કેનમાં આવતાં દૂધ પરનો જીએસટી દર 9 ટકાથી ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યો છે. એ જ રીતે તમામ પ્રકારના સોલર કૂકર પર પણ આ દર 9થી ઘટાડી 6 ટકા કરવામાં આવ્યો છે. જીએસટીના દરમાં ઘટાડાનો સૌથી વધુ લાભ હોલસેલ પેકિંગ માટે વપરાતું મટીરિયલ પૂરું પાડતા ઉદ્યોગોને થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર દવાઓ, ફૂડ પ્રોડક્ટ, બેકરી આઈટમ, કરિયાણું, કોસ્મેટિક અને ખેતપેદાશો, કાર્ટૂન તેમજ મોટા બોક્સમાં પેક કરવામાં આવતી હોય છે. આ પેકિંગ મટીરિયલ પર ટેક્સમાં ઘટાડાથી કિંમત પર પણ અસર થશે. જીએસટી કાઉન્સિલની તાજેતરમાં મળેલી બેઠકમાં અનેક પ્રોડક્ટ પરના ટેક્સના દરમાં સુધારા વધારા કરવામાં આવ્યા હતા. બાગાયત અને વન્ય પેદાશો પરથી 6 ટકા ટેક્સ દૂર કરાયો છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર સ્ટવ, બાર્બેક્યુ, ગેસ રિંગ, નોન ઈલેક્ટ્રિક એપ્લાયન્સીસ અને તેના પૂર્જા જેવી ચીજવસ્તુઓ પરથી 9 ટકા જીએસટી દર દૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈલેક્ટ્રિક વોટર હીટર, ઈલેક્ટ્રો થર્મિક હેર ડ્રેસિંગ મટીરિયલ, હેર ડ્રાયર, હેર કર્લર તેમજ હેન્ડ ડ્રાયર પર 9 ટકાના દરે જીએસટી વસૂલ થતો હતો. પરંતુ હવે તેને મુક્તિ આપવામાં આવી છે. સોલર કૂકર પરનો જીએસટી દર 9 ટકાથી ઘટાડી 6 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે કૃષિ, બાગાયત અને પોલટ્રી માટેની વિવિધ મશીનરી પરનો 6 ટકાનો જીએસટી દર હટાવી લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પેકિંગ ખર્ચ પ્રોડક્ટના 20 ટકા હોય છે, GSTમાં 6 ટકા ઘટાડાનો સૌથી વધુ લાભ દવાઓને મળશે પેકેજિંગ મટીરિયલ પરનો જીએસટી 18 ટકાથી ઘટાડી 12 ટકા કરવામાં આવતાં સૌથી વધુ લાભ દવાઓને થશે. સામાન્યપણે દવા તેમજ ખેતપેદાશો અને ફૂડ પ્રોડક્ટના કુલ ખર્ચમાં 20 ટકા ખર્ચ પેકિંગનો થતો હોય છે. હાલની જરૂરિયાતને ધ્યાનમાં રાખી મોટી કંપનીઓ પણ હવે અનાજ, કઠોળ, શાકભાજી અને ફળ પણ મોટા પેકિંગમાં સપ્લાય કરતી હોય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code