1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના 11 જળાશયોમાં 50થી 70 ટકા ભરાયા, ‘સરદાર સરોવર’ ડેમ 51 ટકાથી વધુ ભરાયો
ગુજરાતના 11 જળાશયોમાં 50થી 70 ટકા ભરાયા, ‘સરદાર સરોવર’ ડેમ 51 ટકાથી વધુ ભરાયો

ગુજરાતના 11 જળાશયોમાં 50થી 70 ટકા ભરાયા, ‘સરદાર સરોવર’ ડેમ 51 ટકાથી વધુ ભરાયો

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો પ્રારંભ થયો છે. ઉપરવાસમાં વરસાદના થવાથી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શકિતના 51.58 ટકા પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલું વંસલ જળાશય 100  ટકા છલકાતાં હાઈએલર્ટ તેમજ ધોળી ધજા ડેમ 88 ટકાથી વધુ ભરાતાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમ,જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે  પ્રાપ્ત થયેલા 8.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યના કુલ 206માંથી એક જળાશય સંપૂર્ણ છાલકાયુ છે. જયારે ચાર જળાશયો 70 થી 100 ટકા,11 જળાશયો 50 થી 70 ટકા તેમજ 33 જળાશયો 25 થી 50 ટકા સુધી ભરાયા છે એટલે કે રાજ્યના જળાશયોમાં કુલ સંગ્રહ શકિતના 29.60  ટકા પાણી સંગ્રહ થયો છે. વધુમાં ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 25.21  ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 42 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં જળાશયોમાં 32  ટકા, કચ્છના 20 જળાશયોમાં 21 ટકા, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 15 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

રાજ્યના સરદાર સરોવર જળાશયમાં હાલમાં 10,822  ક્યુસેક, ઉકાઈમાં 6,293 ,ઉબેણમાં 5,916 મોજમાં 3,952  તેમજ બાટવા -ખારો જળાશયમાં 3,859  ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તેમ,જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code