1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મુન્દ્રા પોર્ટ પર દાણચોરીથી લવાયેલો 53 ટન સોપારીનો જથ્થો સીઝ કરાયો
મુન્દ્રા પોર્ટ પર દાણચોરીથી લવાયેલો 53 ટન સોપારીનો જથ્થો સીઝ કરાયો

મુન્દ્રા પોર્ટ પર દાણચોરીથી લવાયેલો 53 ટન સોપારીનો જથ્થો સીઝ કરાયો

0
Social Share
  • કન્ટેનરમાં પ્લાસ્ટીકના દાણાની આડમાં સોપારીનો જથ્થો દૂબઈથી લવાયો હતો,
  • અન્ય બે કન્ટેનરો પણ કસ્ટમ વિભાગે અટકાવ્યા,
  • સોપારીનો જથ્થો કંડલા કાસેઝમાં જતા પહેલા કસ્ટમે તપાસ કરી

ભૂજ: ગુજરાતમાં કંડલા અને મુન્દ્રા મહા બંદરો ગણાય છે. દેશમાં ચિજ-વસ્તુઓની આયાત અને નિકાસ મોટાભાગે આ બન્ને બંદરો પર થતી હોય છે. કેટલાક આયાતકારો કર બચવવા માટે કન્ટેનરમાં દર્શાવ્યા ઉપરાંતની ચિજ-વસ્તુઓ લાવતા હોય છે.  ત્યારે મુન્દ્રા કસ્ટમે 3 કરોડની સોપારી ઝડપી પાડી છે. કાસેઝ જતા પહેલા જ SIIB શાખાને બાતમી મળી હતી જેના આધારે કામગીરી કરવામાં આવી હતી અને સોપારીનો જથ્થો ઝડપાતા DRIની કામગીરી સામે પણ શંકા ઊભી થઈ છે. કસ્ટમ વિભાગની તપાસમાં પ્લાસ્ટિકના દાણાની આડમાં દુબઈથી આવેલો 53 ટનનો સોપારીનો જથ્થો જપ્ત કરાયો છે. બે મોટા 40 ફૂટ સાઈઝના કન્ટેનરમાં સોપારીની ગુણીઓ ભરેલો જથ્થો મળી આવ્યો છે, તો હજુ પણ અન્ય બે કન્ટેનર અટકાવવામાં આવ્યા હોવાથી ફરી એક મોટો ઘટસ્ફોટ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

મુન્દ્રા બંદરે  દુબઈથી આવેલા કન્ટેનરમાં પીવીસી રેઝિન એટલે કે પ્લાસ્ટિકના દાણાની આડમાં બે કન્ટેનર ભરેલી 53 ટન વજનની અને 3 કરોડની સોપારીના જથ્થાને કંડલા કાસેઝમાં જતાં પહેલાં જ મુંદરા પોર્ટ પર મુંદરા કસ્ટમની એસઆઇઆઈબી શાખા દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. મુન્દ્રા કસ્ટમની એસઆઇઆઇબી શાખાને મળેલી ખાનગી બાતમીના આધારે પ્રિન્સિપલ કમિશનર કે. એન્જિનીયરની સૂચનાથી કરાયેલી તપાસમાં બે મોટા 40 ફૂટ સાઈઝના કન્ટેનરમાં સંપૂર્ણપણે સોપારીની ગુણીઓ ભરેલો જથ્થો મળી આવ્યો હતો.

કસ્ટમના સૂત્રોના કહેવા મુજબ આ કન્ટેનર દુબઈથી આવી રહ્યા હતા અને કંડલાના કાસેઝ એટલે કે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના એક યુનિટમાં જતો હોવાનું આયાતકાર દ્વારા ડિક્લેર કરવામાં આવતું હતું અને આ કન્ટેનરમાં પીવીસી રેઝિન એટલે કે, પ્લાસ્ટિકના દાણા દર્શાવાયેલા હતા પરંતુ આ મિસ ડિક્લેરેશન કેસમાં બે કન્ટેનરમાં કુલ 53 ટન વજનની સોપારી મળી આવી હતી. માટે ફરી એકવાર કચ્છમાં સોપારીની દાણચોરી સામે આવી છે. હજુ બે કન્ટેનરને રોકી રાખવામાં આવ્યા છે, ત્યારે તેની તપાસ પણ થશે જેથી વધુ ઘટસ્ફોટ થવાની શક્યતા છે. કસ્ટમની કામગીરી બાદ ડીઆરઆઈની કામગીરી સામેની પણ સવાલો ઉઠ્યા છે કારણ કે ડીઆરઆઈ છેલ્લાં કેટલાક સમયથી નિષ્ક્રિય છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code