Site icon Revoi.in

મુંબઈના ચેમ્બુરમાં ઘરમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત

Social Share

મુંબઈઃ દેશની આર્થિક રાજનાધી મુંબઈના ચેમ્બુરના એક ઘરમાં આગ લાગતા તંત્ર દોડતું થઈ ગયું હતું. આ દૂર્ઘટનામાં સાત વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. ફારય બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. મકાનમાં આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી.

મુંબઈના ચેમ્બુરમાં એક ઘરમાં આગ લાગવાથી એક જ પરિવારના 7 લોકોના મોત થયા હતા. સિદ્ધાર્થ નગરમાં વહેલી સવારે ઘરમાં આગને કારણે 3 નાના બાળકો અને બે પુરૂષો અને બે મહિલાઓના મોત થાય છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આજે સવારે લગભગ 4.30 વાગ્યે ચેમ્બુરના સિદ્ધાર્થ નગર સ્થિત એક મકાનમાં આગ લાગી હતી.

આગના સમયે ઘરના તમામ સભ્યો ગાઢ ઊંઘમાં હતા. પરંતુ ઘરમાં આગ લાગતાની સાથે જ તમામ સભ્યોએ પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગની જ્વાળામાંથી બહાર આવી શક્યા ન હતા. પોલીસ મૃતકની ઓળખ કરવાનો પણ પ્રયાસ કરી રહી છે.