1. Home
  2. ગુજરાતી
  3. લીલા ફણગાવેલા મગને બાફીને તેના પાણીનું કરો સેવન , સવારે આ પાણી પીવાથી થાય છે અઢળક ફાયદા
લીલા ફણગાવેલા મગને બાફીને તેના પાણીનું કરો સેવન , સવારે આ પાણી પીવાથી થાય છે અઢળક ફાયદા

લીલા ફણગાવેલા મગને બાફીને તેના પાણીનું કરો સેવન , સવારે આ પાણી પીવાથી થાય છે અઢળક ફાયદા

0
Social Share

 

સામામન્ય રીતે તંદુરસ્ત રહેવા માટે દેરક કોઈ અવનવા પ્રયોગો કરતું હોય છે, રોજ સવારે ચાલવા જવું, કસરત કરવી ,ગરમ પાણી પીવું આ તમામ બાબતો આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે મહત્વની છે, આ સાથે જ સાચો અને યોગ્ય ખોરાક પણ આપણા આરોગ્યને અસર કરે છે, જેટલો તમે સાદો અને પોષક યૂક્ત આહાર લેશો તેટલું જ તમારું શરીર તંદુરસ્ત બને છે.

ખોરાકમાં ખાસ કરીને દાળ કઠોળ એવી વસ્તુ છે જેના સેવનથી આપણે અનેક બીમારીને દૂર કરી શકીએ છીએ અને એમાં એક કહેવત છે કે ‘મગ લાવે પગ’ મગને ખૂબ જ પોષ્ટિક આહાર ગણવામાં આવે છે ત્યારે ફણગાલેવા બાફેલા મગનું પાણી કે સૂપ એ પણ એટલું જ ગુણકારી છે.દરરોજ સવારે તમે મગનું પાણી પીશો તો તમારા શરીરમાં ક્યારેય રોગ પ્રવેશી શકશે નહી, બાફેલા મગની સાથે તેનું પાણી ખૂબજ ગુણકારી ગણાય છે, તેમાં અનેક પોષક તત્વો સમાયેલા છે જે શરીરને પુરતુ પોષણ પુરુ પાડ છે.

જાણો મગનું પાણી સવારે ખાલી પેટે પીવાથી થયા ફાયદા

મગનું પાણી પીવાથી દિવસ દરમિયાન એનર્જીનો સ્ત્રોત જળવાઈ રહે છે, થાક લાગતો નથી.આ સાથે જહાથ-પગ તેમજ સાંઘાના દુખાવામાં મગનું પાણી દવાનું કાર્ય કરે છે.

બાફેલા મગમાં એન્જાઈમ હોય છે. જે પાચનમાં મદદ કરે છે,બાફેલા મગનું પાણી પેટને સાફ કરે છે, પાચન શક્તિને મજબૂત બનાવે છે.બાફેલા મગમાં વિટામીન એ, વિટામીન સી, વિટામીન ઈ, વિટામીન કે અને બી કોમ્પ્લેક્સની માત્રા વધી જાય છે, બાફેલા અંકુરિત  મગ ફાઈબરનો સારો સ્ત્રોત છે, જે ડાયાબીટીસ અને હ્રદય માટે અનુકુળ હોય છે.

આ સહીત વજન વધી જવાની સમસ્યાથી પરેશાન રહેતા હોય છે, ત્યારે મગનું પાણી વેટલોસ માટે ખુબ જ ઉપયોગી સાબિત છે. મગનું પાણી કેલેરી ઓછી કરે છે અને આ પાણી પીવાથી લાંબા સમય સુધી ભૂખનો અહેસાસ થતો નથી.

મગનું પાણી પીવાથી વ્યક્તિ એનેર્જેટીક ફિલ કરે છે અને સરળતાથી વજન ઘટાડી શકે છે. આ માટે સવારે અને સાંજે એક વાટકો મગનું પાણી પીવું જોઈએ.જ્યારે ઈમ્યુન સીસ્ટમ કમજોર પડી જાય છે. મગનું પાણી પીવાથી શરીરમાં ઉર્જા આવે છે

મગ અને તેનું પાણી હળવું હોય છે અને સરળતાથી પચી જાય છે. તે શરીર અને મસ્તિષ્ક માટે લાભદાયક હોય છે. મગ હળવા હોવાથી શરીરમાં ગેસ બનવા દેતા નથી.એટલે કોઈ પણ બીમારીમાં તમે મગનું પાણી કે મગનું સેવન કરી શકો છો,

મગમાં ઘણા બધા મિનરલ્સ હોય છે.મગનું પાણી બાળક માટે ખુબ  જ સ્વાસ્થ્ય વર્ધક હોય છે.મગનું પાણી આસાનીથી પચી જાય છે અને તેને પીવાથી બાળકની ઈમ્યુન પાવર વધવાની સાથે રોગ  પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code