1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બરોડા ડેરીના ચેરમેનપદેથી સતીષ પટેલે રાજીનામું આપતા G B. સોલંકીને અપાયો ચાર્જ
બરોડા ડેરીના ચેરમેનપદેથી સતીષ પટેલે રાજીનામું આપતા G B. સોલંકીને અપાયો ચાર્જ

બરોડા ડેરીના ચેરમેનપદેથી સતીષ પટેલે રાજીનામું આપતા G B. સોલંકીને અપાયો ચાર્જ

0
Social Share

વડોદરાઃ  જિલ્લામાં સહકારી ક્ષેત્રે અગ્રેસર ગણાતી બરોડા ડેરીના ચેરમેન પદેથી સતીષ પટેલ (નિશાળીયા)એ રાજીનામું આપી દીધુ છે. તેમણે પોતાના માત્ર આઠ મહિનાના કાર્યકાળ બાદ એકાએક રાજીનામું આપી દેતા જિલ્લાના સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જો કે તેમણે એવો બચાવ કર્યો હતો કે, જિલ્લા ભાજપા પ્રમુખની જવાબદારી હોવાના કારણે તેમજ આગામી લોકસભાની ચૂંટણીમાં પ્રદેશ ભાજપા પ્રમુખના વિઝનને પૂરું કરવા માટે ડેરીના ચેરમેનપદેથી રાજીનામુ આપ્યુ છે. હવે બરોડા ડેરીના નવા પ્રમુખ કોણ બનશે? તેના પર અટકળો ચાલી રહી છે. જોકે, જ્યાં સુધી નવા પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી ઉપપ્રમુખ જી. બી. સોલંકી કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળશે.

બરોડા ડેરીના ચેરમેન પદેથી રાજીનામુ આપ્યા બાદ સતીષ પટેલે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી-2023ના રોજ પ્રદેશ ભાજપા દ્વારા જિલ્લા ભાજપા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. તે બાદ માર્ચ-2023માં અને જુલાઇ-2023માં પણ બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષ દ્વારા બરોડા ડેરીના ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે,  ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે. પાર્ટીમાં એક વ્યક્તિ એક હોદ્દો તેમ જવાબદારી નક્કી છે. મને સુચન કરવામાં આવ્યું કે, આપ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અથવા તો બરોડા ડેરીના પ્રમુખમાંથી કોઇ એક પર પસંદગી કરો. હું વર્ષોથી 1994-95 સુધી કરજણ તાલુકાના યુવા મોરચાના મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. ત્યાર બાદ વિવિધ જવાબદારી નિભાવી હતી. 18 વર્ષ સુધી સંગઠનમાં કામ કર્યું હોય ત્યારે હું રાજીખુશીથી બરોડા ડેરીમાંથી પ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ છે.  સી. આર. પાટીલનું વિઝન છે કે, તમામ લોકસભા 5 લાખ વધુ મતથી જીતવી છે. મારા ક્ષેત્રમાં 3 લોકસભા બેઠકો આવે છે. તમામને તે રીતે જીતાડવા માટે મારા પ્રયત્નો રહેશે. લોકસભાની ચૂંટણીમાં પૂરોપૂરો સમય આપવા માંગુ છું. તેવા મારા 100 ટકા પ્રયત્નો રહેશે.

તેમણે કહ્યુ હતુ કે, બરોડા ડેરીમાં વર્ષોથી અને 13 ડિરેક્ટરો હોય, વહીવટ કરવા પુરતા પ્રમુખ અને ઉપપ્રમુખ હોય છે. આમ તો, બરોડા ડેરીમાં 13 પ્રમુખ અને 13 ઉપપ્રમુખ છે. તમામ ભેગા મળીને વહીવટ કરતા હોય છે. આગામી સમયમાં પણ પાર્ટી જેને પ્રમુખ બનાવશે તે બધા જ પશુપાલકોનું અને સંસ્થાનું હિત જોશે. ગુજરાતમાં ક્યાં પણ બરોડા ડેરી ભાવ આપવામાં પાછળ નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે, બરોડા ડેરીના ચેરમેન પદેથી સતીષ પટેલે (નિશાળીયા) રાજીનામું આપી દેતા હવે બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ તરીકે ઉપપ્રમુખ જી.બી. સોલંકી જવાબદારી નિભાવશે. છતાં, આવનાર દિવસોમાં બરોડા ડેરીના નવા પ્રમુખ તરીકે કોણ આવશે તેના ઉપર સૌની મીટ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code