1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના 2 બનાવોમાં બેનાં મોત, ધ્રાંગધ્રા નજીક કાર-બાઈક વચ્ચે અકસ્માત
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના 2 બનાવોમાં બેનાં મોત, ધ્રાંગધ્રા નજીક કાર-બાઈક વચ્ચે અકસ્માત

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના 2 બનાવોમાં બેનાં મોત, ધ્રાંગધ્રા નજીક કાર-બાઈક વચ્ચે અકસ્માત

0
Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ બે અકસ્માતો સર્જાયા હતા,  પ્રથમ અકસ્માત ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર દુદાપુર ગામ પાસે કારચાલકે પૂર ઝડપે આવીને બાઇક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં બાઇકચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બીજો અકસ્માતનો બનાવ દસાડા નજીક વિસાવડી રોડ વિહતમાતાના મંદિર પાસે ડમ્પરે લોડીંગ રિક્ષાને અડફેટે લેતાં રિક્ષાચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

પ્રથમ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર દુદાપુર ગામ પાસે કારના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ બનાવમાં બાઇકચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ બનાવ સ્થળે પહોંચી મૃતકને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી.

જ્યારે બીજો અકસ્માતનો બનાવ જિલ્લાના દસાડા નજીક સર્જાયો હતો. જેમાં દસાડાના વિસાવડી રોડ વિહતમાતાના મંદિર પાસે ડમ્પરે લોડીંગ રિક્ષાને અડફેટે લેતાં રિક્ષા ચાલકનુ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવની વિગતો એવી જાણવા મળી હતી. કે, વડગામના પિતા પુત્ર લોડીંગ રિક્ષામાં લાકડા ભરી જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી બેફામ ડમ્પર ચાલકે ટક્કર મારતા રિક્ષા ફંગોળાઈ હતી અને રિક્ષા ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. સદનસીબે સગીરને કોઈ ઈજા પહોંચી ન હતી. જેમાં ગંભીર ઈજાને પગલે 31 વર્ષીય મુકેશ કરશનભાઈ રાવળ ( રહે.વડગામ,તા.દસાડા,જિ.સુરેન્દ્રનગર)નું સગીર પુત્રની સામે જ મોત થયું હતુ‌. અકસ્માત સર્જી અજાણ્યો ડમ્પર ચાલક ફરાર થયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code