1. Home
  2. ગુજરાતી
  3. IPL 2024: આચાર સંહિતા ભંગ બદલ રિષભ પંતને એક મેચ માટે સસ્પેન્ડ કરાયો
IPL 2024: આચાર સંહિતા ભંગ બદલ રિષભ પંતને એક મેચ માટે સસ્પેન્ડ કરાયો

IPL 2024: આચાર સંહિતા ભંગ બદલ રિષભ પંતને એક મેચ માટે સસ્પેન્ડ કરાયો

0
Social Share

નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને આઈપીએલ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જેનો અર્થ છે કે પંત રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) સામેની મેચમાં રમી શકશે નહીં.

આઈપીએલ દ્વારા શનિવારે જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને, આઈપીએલ આચાર સંહિતાનો ભંગ કરવા બદલ દંડ અને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કારણ કે, તેની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગની 56મી મેચ દરમિયાન, (આઈપીએલ) 07 મે 2024ના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે ધીમી ઓવર રેટ જાળવવામાં આવી હતી.”

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે હતું કે, “આઇપીએલની આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર-રેટના ગુનાઓ હેઠળ, આ તેની ટીમનો ત્રીજો ગુનો હતો, તેથી ઋષભ પંતને 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.” અસરગ્રસ્ત ખેલાડીઓ સહિત બાકીની પ્લેઇંગ ઇલેવનને, વ્યક્તિગત રીતે રૂ. 12 લાખ અથવા તેમની સંબંધિત મેચ ફીના 50 ટકા જે ઓછું હોય તે, દંડ ફટકારવામાં આવ્યો છે. આઈપીએલ આચાર સંહિતાની કલમ 8 મુજબ, દિલ્હી કેપિટલ્સે મેચ રેફરીના નિર્ણયને પડકારતી અપીલ દાખલ કરી હતી. ત્યારબાદ, અપીલ બીસીસીઆઈ લોકપાલને સમીક્ષા માટે મોકલવામાં આવી હતી. લોકપાલે વર્ચ્યુઅલ સુનાવણી યોજી અને પુષ્ટિ કરી કે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code