1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરમાં ગરમીમાં ઘટાડો પણ હવામાનમાં ભેજ વધતા અસહ્ય ઉકળાટથી લોકો અકળાયા
ભાવનગરમાં ગરમીમાં ઘટાડો પણ હવામાનમાં ભેજ વધતા અસહ્ય ઉકળાટથી લોકો અકળાયા

ભાવનગરમાં ગરમીમાં ઘટાડો પણ હવામાનમાં ભેજ વધતા અસહ્ય ઉકળાટથી લોકો અકળાયા

0
Social Share

ભાવનગરઃ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે રેમલ વાવાઝોડું ત્રાટક્તા ગુજરાતના તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રના સાગરકાંઠે તેજ ગતિમાં પવન ફુકાઈ રહ્યો છે. તેમજ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં ગરમીમાં તો ઘટાડો થયો પણ ભેજવાળા પવનો ફુકાવાને લીધે ઉકળાટમાં વધારો થયો છે. અસહ્ય ઉકળાટને લીધે લોકો અકળાયા છે. ભાવનગર શહેરમાં  બપોરના સમયે મહત્તમ તાપમાન ઘટીને 41.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ. બપોર પછી દરિયાઇ ઠંડા પવનોનું જોર વધતાં રાતે ગરમીમાં નજીવી રાહત મળી હતી.

ભાવનગર શહેરમાં રવિવારે 42 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ તે સોમવારે ઘટીને 41.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ વધીને 30.6 ડિગ્રી તાપમાન હતુ તે સોમવારે ઘટીને 29 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. રાતના ઉષ્ણતામાનમાં 1.6 ડિગ્રીનો ઘટાડો થયો છે. ભાવનગર શહેરમાં રવિવારે સવારે 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો તે સાંજના સમયે બમણાથી વધીને 36 કિલોમીટર થઇ જતા મોડી સાંજના સમયે ગરમીમાં થોડી રાહતનો અનુભવ નગરજનોને થયો હતો. જો કે બપોરના સમયે ગરમ પવન ફુકાય રહ્યો છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર શહેરમાં સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ 57% હતુ તે સાંજે પણ 52% નોંધાતા બપોરે ગરમી સાથે બફારો અસહ્ય રહ્યો હતો. ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ હતુ તે ઘટાડીને યલો એલર્ટ કરી દેવામાં આવ્યું છે. હાલ દરિયાઈ વિસ્તારોમાં તેજગતિથી પવન ફુંકાય રહ્યા છે. હવામાનમાં ભેજનું પ્રમાણ પણ વધુ હોવાથી લોકો ઉકળાટ અનુભવી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code