1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં RMCના ફુડ વિભાગના દરોડા, અખાદ્ય મલાઈ, માવો સહિત 2000 કિલો જથ્થાનો નાશ કરાયો
રાજકોટમાં RMCના ફુડ વિભાગના દરોડા, અખાદ્ય મલાઈ, માવો સહિત 2000 કિલો જથ્થાનો નાશ કરાયો

રાજકોટમાં RMCના ફુડ વિભાગના દરોડા, અખાદ્ય મલાઈ, માવો સહિત 2000 કિલો જથ્થાનો નાશ કરાયો

0
Social Share

રાજકોટઃ શહેરમાં અસહ્ય ગરમી લીધે બજારૂ ખાદ્ય ચિજ-વસ્તુઓ ઉતરી જતી હોય છે. આવી ચિજ-વસ્તુઓનું વેચાણ થયું હોય છે. ઉપરાંત મલાઈ, માવા સહિત દૂધ બનાવટની ચિજ-વસ્તુઓમાં હલકી ગુણવત્તા અને ભેળસેળ પણ થતી હોય છે. આથી લોકોના આરોગ્યને નુકશાન ન થાય તે માટે આરએમસીના ફુડ વિભાગના અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી મીઠાંઈની દુકાનો અને ડેરી ફાર્મમાં સર્ચ કરવામાં આવતા મલાઈ, માવો, છાશ, સહિત 2000 કિલો અખાદ્ય વસ્તુઓ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ડ્રાયફ્રુટ શિખંડ, આઈસ્ક્રીમ સહિત મીઠાંઈના નમુના લઈને પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના રૈયા રોડ ઉપર આવેલા ડેરી ફાર્મમાં સર્ચ કરવામાં આવતા પોલીથીનની બેગમાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલો 800 કિલો મલાઇ, 400 કિલો માવો, 900 લીટર કેરેટમાં રહેલી છાશ મળી 2 હજાર કિલો અખાદ્ય માલનો નાશ કરી દેવાયો હતો. તેમજ પેઢીમાંથી ડ્રાયફ્રુટ શિખંડ, પનીર તેમજ અંજીર કાજુ આઈસ્ક્રીમનાં નમુના લઈ પેઢીને નોટિસ ફટકારી હતી. ફ્રીઝમાં પેક રાખવામાં આવેલા માલ પર પેકિંગ ડેટ, બેચ નંબર, એકસપાયરી ડેટ સહિત ફૂડ સેફટીના કોઇ નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું સામે આવતા તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

આરએમસીના ફુડ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ફુડ વિભાગના સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રૈયા રોડ, રેલ્વે અન્ડર બ્રીજ નજીક આવેલા એક ડેરી ફાર્મ પેઢીમાં તપાસ કરવામાં આવી હતી. આ પેઢી માલિકની હાજરીમાં તપાસ કરતાં કોલ્ડ સ્ટોરેજમાં પોલીથીનની બેગમાં સંગ્રહ કરેલ મલાઈ (પેક્ડ) 800 કિગ્રા., મીઠો માવો (પેક્ડ) 400 કિગ્રા. તેમજ પેઢીમાં રહેલા કેરેટમાં સંગ્રહ કરેલ છાસ (પેક્ડ) 900 લિટરનો જથ્થો માનવ આહાર માટે વેચાણ અર્થે રાખવામાં આવ્યાનું દેખાયું હતું. આ તમામ જથ્થા પર ફુડ એકટના નિયમ મુજબ ઉત્પાદનનું નામ, ઉત્પાદન કર્યા અંગેની વિગતો કે ઉત્પાદનોની એકપાયરી, બેસ્ટ બિફોર અંગેની વિગતો દર્શાવેલ ન હતી. ફૂડ વિભાગની પૂછપરછમાં આ જથ્થો પડતર હોવાનું ખુદ ડેરીના માલિકે સ્વીકાર્યુ હતું. આથી તમામ જથ્થો માનવ આહાર માટે અયોગ્ય હોય સોલીડ વેસ્ટ વિભાગનું વાહન સ્થળ પર બોલાવી ઉપરોક્ત પેક્ડ ખાદ્યચીજોનો અંદાજે કુલ મળી 2000 કિલો જથ્થાને કચરામાં ફેંકી દેવાયો હતો. તેમજ ઉત્પાદક તરીકેનું લાયસન્સ લેવા અને યોગ્ય સ્ટોરેજ કરવા તેમજ FSSAIના નિયમ મુજબ પેઢીમાં ઉત્પાદન કરતાં ખાદ્યચીજોના પેકિંગ પર લેબલિંગ કરી વિગતો દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. સાથે ડેરીમાંથી ડ્રાયફ્રૂટ શિખંડ (લુઝ), પનીર (લુઝ), તેમજ અંજીર કાજુ આઇસ્ક્રીમ (લુઝ)ના નમુના લઇ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code