1. Home
  2. ગુજરાતી
  3. નરેન્દ્ર મોદી કેમ્પના કેટલાક લોકો ઇન્ડિયા એલાયન્સ સાથે સંપર્કમાં હોવાનો રાહુલ ગાંધીનો દાવો
નરેન્દ્ર મોદી કેમ્પના કેટલાક લોકો ઇન્ડિયા એલાયન્સ સાથે સંપર્કમાં હોવાનો રાહુલ ગાંધીનો દાવો

નરેન્દ્ર મોદી કેમ્પના કેટલાક લોકો ઇન્ડિયા એલાયન્સ સાથે સંપર્કમાં હોવાનો રાહુલ ગાંધીનો દાવો

0
Social Share

લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વમાં NDAની સરકાર બની છે. પરંતુ, આ ચૂંટણીમાં ભાજપને ગત વખત કરતા 63 બેઠકો ઓછી મળી છે અને પાર્ટી માત્ર 240 બેઠકો જીતવામાં સફળ રહી છે. આ જ કારણ છે કે મોદી સરકાર બન્યા બાદ પણ વિપક્ષ સતત પ્રહારો કરી રહ્યા છે. હવે ફરી એકવાર રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું છે અને દાવો કર્યો છે કે મોદી સરકારે પોતાના અસ્તિત્વ માટે ‘સંઘર્ષ’ કરવો પડશે.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કોઈનું પણ નામ જાહેર કર્યા વિના એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદી કેમ્પના લોકો ઈન્ડિયા બ્લોક (I.N.D.I.A.) સાથે ‘સંપર્ક’માં છે. એક નાની ભૂલ પણ રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) ને અસ્થિર કરી શકે છે, જેણે ભાજપની આગેવાની હેઠળની સરકાર બનાવી છે. આ સાથે રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો હતો કે NDAમાં સામેલ પ્રાદેશિક પક્ષોમાં ભારે અસંતોષ છે. જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને અસ્તિત્વ માટે ‘સંઘર્ષ’ કરવો પડશે.

નાનકરકાડી ગરબડ સરનું પતન કરી શકે છેઃ રાહુલ

ફાઈનાન્શિયલ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘મોદી સરકારમાં આંકડા એવા છે કે તે ખૂબ જ નાજુક સ્થિતિમાં છે અને એક નાની ભૂલ પણ સરકારને ધરાશાયી કરી શકે છે. જો કે, રાહુલ ગાંધીએ તેમના દાવા અંગે વધુ વિગતવાર કહેવાનો ઇનકાર કર્યો હતો.

મોદીની છબી ખરડાઈ છેઃ રાહુલ ગાંધી

લોકસભા ચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકની લીડ બતાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ભાજપનું મૂળ માળખું અને ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાની તેની વિચારધારા પડી ભાંગી છે. ભારતીય રાજનીતિમાં મોટો બદલાવ આવ્યો છે. આ કારણે શાસક ગઠબંધન આ વખતે સંઘર્ષ કરશે, કારણ કે નરેન્દ્ર મોદી માટે 2014 અને 2019માં જે કામ કર્યું હતું તે આ વખતે કામ કરી રહ્યું નથી. તેમણે વધુમાં કહ્યું કે, ‘નરેન્દ્ર મોદીનો વિચાર અને મોદીની છબી ખતમ થઈ ગઈ છે.’

આ વખતે ભાજપને બહુમતી મળી નથી

તમને જણાવી દઈએ કે 4 જૂને જાહેર થયેલા લોકસભા ચૂંટણીના પરિણામોમાં NDAએ સતત ત્રીજી વખત સૌથી વધુ સીટ સાથે 293 લોકસભા સીટો જીતી છે. પરંતુ, ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેની બહુમતી ગુમાવી દીધી અને માત્ર 240 બેઠકો જ જીતી શકી, જેના કારણે તેણે સત્તામાં રહેવા માટે નાના પક્ષો પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. ભાજપને સત્તામાંથી દૂર કરવા માટે રચાયેલ ઇન્ડિયા ગઠબંધને 234 બેઠકો જીતીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.

અયોધ્યામાં જ ભાજપનો સફાયો થયોઃ રાહુલ ગાંધી

નફરતની રાજનીતિ પર વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું, એવો વિચાર કે તમે નફરત ફેલાવી શકો છો, તમે ગુસ્સો ફેલાવી શકો છો અને તમે તેનો ફાયદો ઉઠાવી શકો છો – ભારતીય જનતાએ આ ચૂંટણીમાં તેને નકારી કાઢ્યો છે. ધાર્મિક દ્વેષ પેદા કરવાનો ભાજપનો વિચાર પડી ભાંગ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘જે પાર્ટી છેલ્લા 10 વર્ષથી અયોધ્યાની વાત કરતી હતી તેનો અયોધ્યામાં સફાયો થઈ ગયો છે.’

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code