1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં રાજ્યવ્યાપી પોલીયો અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ,
ગાંધીનગરમાં રાજ્યવ્યાપી પોલીયો અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  કરાવ્યો પ્રારંભ,

ગાંધીનગરમાં રાજ્યવ્યાપી પોલીયો અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ,

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બાળ લકવા નાબૂદી અભિયાન- 2024 અન્વયે નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે અંતર્ગત આજે રવિવારે રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષની વય જૂથના 83 લાખ 72 હજારથી વધુ ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે. આ હેતુસર 1 લાખ 33 હજાર 956 આરોગ્ય કર્મીઓ સેવારત રહીને રાજ્યના 33 હજાર 489 પોલિયો બુથ પરથી બાળકોને ટીપાં પીવડાવવાની કામગીરીમાં જોડાયા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘બાળ લકવા નાબૂદી અભિયાન- 2024 અન્વયે નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે 23 જૂન અંતર્ગત રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણનો ગાંધીનગરથી આજે પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષની વય જૂથના 83 લાખ 72 હજારથી વધુ ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે. સમગ્ર રાજ્યમાં 23 જૂન 2024 ના રવિવારને પોલિયો રવિવાર તરીકે મનાવીને આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 1.33 લાખથી વધુ આરોગ્ય કર્મચારીઓ દ્વારા 33 હજારથી વધુ પોલીયો બુથ પર 5 વર્ષ સુધીના બાળકોને ટીપા પીવડાવવાનો પ્રારંભ કરાયો હતો. ગામડાંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર મહિલાઓએ પોતાના બાળકોને સાથે લાઈનો લગાવી હતી. હવે તો ગામડાં પણ પોલીયોને લઈને બાળકોને ટીપાં પિવડાવવા અંગે જાગૃતિ આવી છે.

તારીખ 24 અને 25 જૂનના દિવસે આરોગ્ય કર્મીઓ હાઉસ ટુ હાઉસ ફરીને 0 થી 5 વર્ષના ભૂલકાઓને પોલિયો ટીપાં પીવડાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રી નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટરમાં ભૂલકાઓને પોલિયો રસીના ટીપાં પીવડાવી આ અભિયાનનો પ્રતિકાત્મક પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી અને ભૂલકાઓના માતા-પિતા તેમજ આરોગ્ય અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code