1. Home
  2. ગુજરાતી
  3. આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈ KVICએ અનેક સરકારી વિભાગોને રૂ. 8.67 કરોડના ખાદીના યોગ ડ્રેસ-મેટ પૂરી પાડી હતી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈ KVICએ અનેક સરકારી વિભાગોને રૂ. 8.67 કરોડના ખાદીના યોગ ડ્રેસ-મેટ પૂરી પાડી હતી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈ KVICએ અનેક સરકારી વિભાગોને રૂ. 8.67 કરોડના ખાદીના યોગ ડ્રેસ-મેટ પૂરી પાડી હતી

0
Social Share

નવી દિલ્હીઃ આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં ખાદીના લાખો કારીગરો માટે વિશેષ ખુશી લઈને આવ્યો છે. 21 જૂનના રોજ ઉજવવામાં આવતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (કેવીઆઈસી)એ દેશભરની 55 ખાદી સંસ્થાઓ દ્વારા વિવિધ સરકારી વિભાગોને 8,67,87,380 રૂપિયાની કિંમતની 1,09,022 યોગ મેટ અને 63,700 યોગ ડ્રેસનું વેચાણ કર્યું હતું. કેવીઆઈસીના ચેરમેન મનોજ કુમારે આંકડા જાહેર કરતાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ‘બ્રાન્ડ પાવર’એ યોગની ભારતીય વિરાસતની સાથે સાથે ખાદીને પણ લોકપ્રિય બનાવી છે. ખાદી પરિવાર માટે આનંદની વાત એ છે કે આ વખતે આપણા ખાદીના કારીગરો દ્વારા બનાવવામાં આવેલા ખાસ યોગ વસ્ત્રો અને મેટનું રેકોર્ડબ્રેક વેચાણ થયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વખતે યોગ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં યોગ કર્યા હતા અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે યોગ માટે ખાદીના કપડાં પહેરીને અમદાવાદમાં યોગનો અભ્યાસ કર્યો હતો. ખાદીના કારીગરો માટે આ ગર્વની વાત છે. અધ્યક્ષ શ્રી મનોજ કુમારે વધુમાં જણાવ્યું હતું કે ખાદીથી બનેલા યોગ ડ્રેસ અને મેટ્સ સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ સંરક્ષણ માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તે રસાયણો વિના અને ઓછામાં ઓછા પાણીના ઉપયોગથી બનાવવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ખાસ પ્રસંગે ખાદી યોગ ડ્રેસ અને મેટનું વેચાણ એ બાબતનું પ્રતીક છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર તેના વારસાની ખાદીની જાળવણી માટે કટિબદ્ધ છે તેમજ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ છે. આ વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત અભિયાનને પણ નવી શક્તિ આપે છે.

જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ આ વખતે કેવીઆઇસીએ આયુષ મંત્રાલયની માંગ પર ખાસ ખાદી યોગ કુર્તા (ટી-શર્ટ સ્ટાઇલમાં) તૈયાર કર્યા હતા. આ ખાસ કરીને યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા હતા. યોગ દિવસ નિમિત્તે દિલ્હીના કનોટ પ્લેસ ખાતે આવેલા કેવીઆઇસીના ખાદી ભવન દ્વારા એકલા આયુષ મંત્રાલયને જ 50,000 યોગ મેટ અને 50,000 યોગ ડ્રેસ પૂરા પાડવામાં આવ્યા હતા. આમાં 300 પ્રીમિયમ ગુણવત્તાની યોગ મેટ પણ શામેલ છે. આ સાથે જ મંત્રાલયની માંગ મુજબ શ્રીનગરમાં 25 હજાર યોગ મેટ અને ખાદીના કપડાની સપ્લાય કરવામાં આવી હતી અને શ્રીનગરમાં 10 હજાર મેટ અને યોગના કપડાની સપ્લાય કરવામાં આવી હતી. શ્રીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હજારો લોકોએ ખાદીના વસ્ત્રો પહેરીને યોગ અભ્યાસમાં ભાગ લીધો હતો.

આયુષ મંત્રાલય ઉપરાંત કેવીઆઇસીએ મુખ્યત્વે મોરારજી દેસાઇ નેશનલ યોગ ઇન્સ્ટિટ્યૂટ, નેશનલ આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટ જયપુર અને પંચકુલા, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, ઓએનજીસી અને નાલ્કોને મુખ્યત્વે ખાદી ફોર યોગ પ્રેક્ટિસથી બનેલી યોગ વસ્ત્રો અને યોગ મેટ પણ પૂરી પાડી હતી. કુલ રૂ. 86787380ના પુરવઠામાં ખાદી યોગ ડ્રેસનું વેચાણ રૂ. 38665900 અને મેટનું વેચાણ રૂ. 481214890 હતું. માંગ મુજબ, કેવીઆઈસીએ દેશભરમાં ખાદી સંસ્થાઓને પહેલેથી જ જાણ કરી દીધી હતી, જેમાં ગુજરાત, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને દિલ્હીની 55 સંસ્થાઓનો સમાવેશ થાય છે, સપ્લાય માટે. આના દ્વારા ખાદી સંસ્થાઓમાં કામ કરતા સ્પિનર્સ, વણકરો અને ખાદી કામદારોને વધારાનું વેતન અને રોજગારની વધારાની તકો મળી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code