1. Home
  2. ગુજરાતી
  3. અયોધ્યાઃ નેપાળના જનકપુરધામથી અયોધ્યાધામ સુધી ચાલશે ડાયરેક્ટ ટ્રેન
અયોધ્યાઃ નેપાળના જનકપુરધામથી અયોધ્યાધામ સુધી ચાલશે ડાયરેક્ટ ટ્રેન

અયોધ્યાઃ નેપાળના જનકપુરધામથી અયોધ્યાધામ સુધી ચાલશે ડાયરેક્ટ ટ્રેન

0
Social Share

નવી દિલ્હીઃ જ્યારથી અયોધ્યામાં રામ લાલાના ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે ત્યારથી માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ ભક્તો શ્રી રામના દર્શન કરવા આવી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે ભારત અને નેપાળ સરકારે બંને દેશો વચ્ચે અયોધ્યા અને જનકપુર વચ્ચે ટ્રેન ચલાવવાનો કરાર કર્યો છે. નેપાળ અને ભારત સરકાર વચ્ચેના કરાર હેઠળ જનકપુરધામથી અયોધ્યાધામ સુધીની સીધી રેલ સેવા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ માટે નેપાળ રેલવે દ્વારા તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.

  • શનિવારે બપોરે 1.30 કલાકે જનકપુરધામથી અયોધ્યાધામ સુધી ટ્રેન દોડશે.

નેપાળ રેલ્વે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જનકપુરધામથી અયોધ્યાધામ સુધીની સીધી ટ્રેન સેવા માટેનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. નેપાળ રેલ્વેના જનરલ મેનેજર રંજન ઝાએ આપેલી માહિતી મુજબ દર શનિવારે જનકપુરધામથી અયોધ્યાધામ માટે બપોરે 1:30 કલાકે ઉપડતી ટ્રેન રવિવારે સવારે 4 વાગે પહોંચશે અને તે જ દિવસે સાંજે 5 વાગે પરત ફરશે. બીજા દિવસે એટલે કે સોમવારે સવારે 5 વાગે જનકપુરધામ પહોંચશે.

નેપાળ રેલ્વેના જનરલ મેનેજર નિરંજન ઝાએ જણાવ્યું હતું કે આ રેલ સેવાના સંચાલનની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. તેના ઉદ્ઘાટનને લઈને બંને દેશોની સરકારો વચ્ચે સંકલન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે ઉદ્ઘાટનનો સમય નક્કી થતાં જ સામાન્ય મુસાફરો માટે ટિકિટનું બુકિંગ શરૂ કરી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code