1. Home
  2. ગુજરાતી
  3. IPL: નિવૃત્તિ લેનાર દિનેશ કાર્તિક નવી ઈનિંગ્સની કરશે શરૂઆત, RCBએ સોંપી મહત્વની જવાબદારી
IPL: નિવૃત્તિ લેનાર દિનેશ કાર્તિક નવી ઈનિંગ્સની કરશે શરૂઆત, RCBએ સોંપી મહત્વની જવાબદારી

IPL: નિવૃત્તિ લેનાર દિનેશ કાર્તિક નવી ઈનિંગ્સની કરશે શરૂઆત, RCBએ સોંપી મહત્વની જવાબદારી

0
Social Share

નવી દિલ્હીઃ IPLમાંથી નિવૃત્તિ બાદ અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને મોટી જવાબદારી મળી છે. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના મેન્ટર અને બેટિંગ કોચ બનાવવામાં આવ્યા છે. આ માહિતી ટીમે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.

દિનેશ કાર્તિકે તેની કારકિર્દીની છેલ્લી મેચ રાજસ્થાન રોયલ્સ સામે રમી હતી. તેની ટીમ એલિમિનેટર મેચમાં બહાર થઈ ગઈ હતી. આ પછી સાથી ખેલાડીઓએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસીસ, મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓએ તેને ગળે લગાવીને શુભેચ્છા પાઠવી હતી. કાર્તિકે તેની IPL કરિયરમાં 257 મેચ રમી હતી. આ સિવાય કાર્તિકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ લીધો છે. તેમણે તેમના 39માં જન્મદિવસે નિવૃત્તિની જાહેરાત કરી હતી.

દિનેશ કાર્તિકની કારકિર્દી વિશે વાત કરીએ તો, આરસીબી સાથે આ તેનો બીજો કાર્યકાળ હતો. 2015માં બેંગલુરુએ તેને 10.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સમયગાળા દરમિયાન બેટ સાથે તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. તે 11 મેચમાં માત્ર 141 રન જ બનાવી શક્યો હતો. જો કે, છેલ્લી સિઝનમાં તેણે પુનરાગમન કર્યું અને એક મજબૂત ફિનિશર તરીકે ઉભરી આવ્યો હતો. IPL 2022 માં, દિનેશ કાર્તિકે 180 થી વધુના સ્ટ્રાઈક રેટથી 330 રન બનાવ્યા અને ODI વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવ્યું હતું. તે કોલકાતા તરફથી આઈપીએલમાં પણ રમી ચૂક્યો છે.

કાર્તિકે 257 મેચોમાં 4842 રન બનાવીને તેની આઈપીએલ કારકિર્દી પૂરી કરી જેમાં 22 અર્ધસદી સામેલ છે. તેની 17 વર્ષની IPL કારકિર્દીમાં, RCB સિવાય, તે દિલ્હી ડેરડેવિલ્સ, કિંગ્સ ઈલેવન પંજાબ, મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત લાયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો. IPL 2024માં તેણે 15 મેચમાં 187.36ના સ્ટ્રાઈક રેટ સાથે 326 રન બનાવ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code