1. Home
  2. ગુજરાતી
  3. હળદરથી થતા આ ચમત્કારો વિશે તમે જાણો છો? પળવારમાં બદલાઈ જશે આખું જીવન
હળદરથી થતા આ ચમત્કારો વિશે તમે જાણો છો? પળવારમાં બદલાઈ જશે આખું જીવન

હળદરથી થતા આ ચમત્કારો વિશે તમે જાણો છો? પળવારમાં બદલાઈ જશે આખું જીવન

0
Social Share

શું તમે માનો છો આ બાબત તો તમારા માટે આ સૌથી ઉપયોગી છે. જો તમે આર્થિક પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છો. તો ભગવાન વિષ્ણુને હળદર નાંખેલું જળ અર્પણ કરવાથી વિશેષ લાભ થાય છે. સાથે અન્ય પણ અનેક એવા ઉપાયો છે જે ગુરુવારના દિવસે કરવાથી આર્થિક તંગીમાંથી બહાર નીકળી શકાય છે. ત્યારે આવો જાણીએ હળદરના અલગ અલગ ધાર્મિક ઉપાયો વિશે.

રોકાયેલું ધન આવી જશે પરત-
જો લાંબા સમયથી તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય તો જ્યોતિષશાત્રથી તેને પરત મેળવી શકાય છે. ચોખાના થોડા દાણા લો અને તેને હળદરમાં ભેળવી દો, ત્યારબાદ આ ચોખા તમારા પર્સમાં અથવા તિજોરીમાં રાખો. આ ઉપાય કરવાથી અટવાયેલા પૈસા જલદી પરત આવવાના યોગ બનશે.

કોઈ પણ કાર્યમાં મળશે સફળતા-
ઘણીવાર લાખો પ્રયાસો કરીએ છતાં પણ વ્યક્તિને સફળતા નથી મળતી. ત્યારે તે વ્યક્તિ નિરાશ થઈ જાય છે. પરંતુ હવે નિરાશ થવાની જરૂર નથી. હળદર સંબંધિત આ ઉપાય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે હળદરની 11 કે 21 ગાંઠની માળા બનાવો. હવે આ માળા ગણેશજીને અર્પણ કરો. તેનાથી ગણપતિ દાદાના આશીર્વાદ મળશે અને સફળતા મળશે.

આશીર્વાદ મેળવવા માટે-
જો તમે ઘણી કમાણી કરતા હોવ પરંતુ કોઈ બચત થતી ન હોય તો હળદરના ઉપયોગથી વિશેષ લાભ થશે. લાલ રંગના કપડામાં હળદર રાખી તેને ગાંઠ મારી તિજોરીમાં રાખવામાં આવે તો પૈસા બચશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code