1. Home
  2. ગુજરાતી
  3. અફઘાનિસ્તાનમાં મોહરતના પર્વને લઈને તાલિબાનના આકરા વલણને લઈને શિયા મુસ્લિમોમાં રોષ
અફઘાનિસ્તાનમાં મોહરતના પર્વને લઈને તાલિબાનના આકરા વલણને લઈને શિયા મુસ્લિમોમાં રોષ

અફઘાનિસ્તાનમાં મોહરતના પર્વને લઈને તાલિબાનના આકરા વલણને લઈને શિયા મુસ્લિમોમાં રોષ

0
Social Share

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન હેઠળ શિયા મુસ્લિમો ખૂબ જ પરેશાન હોવાનું ચર્ચાય રહ્યું છે. અફઘાનિસ્તાનના શિયા મુસ્લિમોએ તાલિબાન લડવૈયાઓ પર ધ્વજ ફાડી નાખવા અને તંબુઓ ઉખેડી નાખવાનો આરોપ લગાવ્યો છે. અફઘાન શિયા મુસ્લિમોએ કહ્યું કે, તેમના જ દેશમાં તેમના પર અત્યાચાર થઈ રહ્યો છે. તાલિબાન તેમને મોહર્રમનો શોક કરવા દેતા નથી. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસને મોહરમને લઈને કડક કાયદો બનાવ્યો છે, જે અંતર્ગત મહોરમ મનાવવા પર ઘણા નિયમો લાદવામાં આવ્યા છે. તાજેતરમાં, તાલિબાને હેરાત અને અન્ય કેટલાક પ્રાંતોમાં આશુરાના શોક કરનારાઓ સામે કડક પગલાં લીધાં છે.

હશ્ત-એ-સુભ ડેઇલી મીડિયા અનુસાર, હેરાતમાં તાલિબાને શિયા મુસ્લિમોને જૂથ દ્વારા નિયુક્ત ચોક્કસ સ્થળોએ જ મોહરમની ઉજવણી કરવાની સૂચના આપી છે. એક શિયા ધાર્મિક વિદ્વાન હશ્ત-એ-સુબ ડેઈલીને જણાવ્યું કે મોહરમને લઈને શિયા વિદ્વાનો સાથે ઘણી બેઠકો થઈ છે. તાલિબાને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉજવણી નિયુક્ત અને મર્યાદિત વિસ્તારોમાં થવી જોઈએ. મહોરમ દરમિયાન રાહદારીઓ માટે કોઈ રસ્તો કે ફૂટપાથ બંધ ન કરવો જોઈએ.

તાલિબાનના ઇન્ફોર્મેશન એન્ડ કલ્ચર ડિરેક્ટોરેટના વડા અહમદુલ્લા મુત્તાકીનું એક ભાષણ હાલમાં સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેમણે મોહરમની ઉજવણીને ‘રાજકીય અને વિદેશી નવીનતા’ ગણાવી છે. ગયા અઠવાડિયે મોહરમ ઓર્ગેનાઈઝિંગ કમિટીમાં શિયા વિદ્વાનો સાથેની બેઠક દરમિયાન, તાલિબાનના એક અધિકારીએ કહ્યું કે, આશુરા દરમિયાન ‘રાજકીય નવીનતાઓ’ બંધ કરવી જોઈએ. બીજી તરફ મુત્તાકીના ભાષણ પર લોકોએ આકરી પ્રતિક્રિયા આપી છે.

દરમિયાન, હેરાત પ્રાંતના જબ્રીઅલ ટાઉનશીપના લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ દિવસમાં તાલિબાનોએ રાત્રે ઘણી વખત શોક કરનારાઓના ઝંડા તોડી નાખ્યા હતા. તેમણે કહ્યું કે આક્રમક તાલિબાન લડવૈયાઓએ શિયા પ્રભુત્વ ધરાવતા જબ્રીઅલ વિસ્તારના પાંચ રહેવાસીઓની ધરપકડ કરી છે. આ જ કોલોનીના રહેવાસી અલી રઝાએ જણાવ્યું કે તાલિબાને આ વિસ્તારમાં ઘણા લડવૈયાઓ તૈનાત કર્યા છે, જેઓ રાત્રે ઝંડા ફાડી નાખે છે.

અલી રઝાએ કહ્યું કે, ‘છ-સાત દિવસથી અમે મોહરમની તૈયારી કરી રહ્યા છીએ, તંબુઓ લગાવી રહ્યા છીએ અને શોક સમારોહ માટે ચા-પાણીની વ્યવસ્થા કરી રહ્યા છીએ, પરંતુ તાલિબાન અમારી અને અમારા ધર્મની વિરુદ્ધ છે.’ હેરાતના રહેવાસીઓએ જણાવ્યું કે ‘તાલિબાન દળો સુરક્ષા આપવાના બહાને જબરિયાલમાં આવ્યા છે, પરંતુ સુરક્ષા આપવાને બદલે તેઓ રાત્રે રસ્તાઓ અને ઘરોના પ્રવેશદ્વાર પર લગાવેલા તંબુઓ અને ઝંડાઓ ઉખેડી નાખે છે. તાલિબાનો અમારી તરફ નફરતની નજરે જુએ છે અને અમને મૌન રહેવા મજબૂર કરવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code