1. Home
  2. ગુજરાતી
  3. કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર નેપાળની મુલાકાતે, ત્રિપક્ષીય ઊર્જા કરાર પર કરશે હસ્તાક્ષર
કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર નેપાળની મુલાકાતે, ત્રિપક્ષીય ઊર્જા કરાર પર કરશે હસ્તાક્ષર

કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર નેપાળની મુલાકાતે, ત્રિપક્ષીય ઊર્જા કરાર પર કરશે હસ્તાક્ષર

0
Social Share

નવી દિલ્હીઃ ભારતના ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટર આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં નેપાળની મુલાકાતે છે. ભારતમાં ત્રીજી વખત મોદી સરકાર બન્યા બાદ ભારત સરકારના મંત્રીની નેપાળની આ પ્રથમ મુલાકાત હશે. નેપાળ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રિપક્ષીય વીજ વેપાર કરાર પર હસ્તાક્ષર કરવા માટે ભારતના ઉર્જા મંત્રી નેપાળની મુલાકાત લેશે.

નેપાળના ઉર્જા અને જળ સંસાધન મંત્રી દીપક ખડકાએ જણાવ્યું હતું કે ભારત દ્વારા બાંગ્લાદેશને વીજળી વેચવાનું નેપાળનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. ભારત સરકારના ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટર આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે 28 જુલાઈએ કાઠમંડુ પહોંચવાના છે.

નેપાળના ઉર્જા અને જળ સંસાધન મંત્રી દીપક ખડકાના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશના પાવર રાજ્ય મંત્રી નસરુલ હમીદને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્રણેય દેશોના ઉર્જા મંત્રીઓની હાજરીમાં ત્રિ-રાષ્ટ્રીય વીજ વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ કરાર હેઠળ નેપાળ તેની વીજળી ભારત મારફતે બાંગ્લાદેશને વેચી શકે છે. આ અંગે ભારત સરકાર તરફથી કરાર થઈ ચૂક્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code