1. Home
  2. ગુજરાતી
  3. મુંબઈમાં આતંકવાદી હુમલાની ભીતીને પગલે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો
મુંબઈમાં આતંકવાદી હુમલાની ભીતીને પગલે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો

મુંબઈમાં આતંકવાદી હુમલાની ભીતીને પગલે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો

0
Social Share
  • ગુપ્તચર એજન્સીની માહિતીના પગલે સુરક્ષા વધારાઈ
  • અસામાજીક તત્વો ઉપર પોલીસની નજર

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈ ફરી એકવાર આતંકવાદીઓના નિશાન ઉપર હોવાનું જાણવા મળે છે. મુંબઈ ઉપર આતંકવાદી હુમલાની ગુપ્તચર એજન્સીઓની માહિતીને પગલે સમગ્ર મુંબઈમાં સુરક્ષા વ્યવસ્થામાં બંદોબસ્ત વધારી દેવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં અસામાજીક તત્વો સામે પણ કાર્યવાહી વધારે તેજ બનાવવામાં આવી છે.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આતંકી હુમલાનો ખતરો છે. વાસ્તવમાં, મુંબઈ પર આતંકવાદી હુમલાની ગુપ્ત માહિતી પ્રાપ્ત થઈ છે, જેના પછી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ ફોર્સ એલર્ટ પર છે અને ભીડભાડવાળી જગ્યાઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં ધાર્મિક સ્થળો પર પણ સુરક્ષા સઘન બનાવવામાં આવી છે અને લોકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે અને જો કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code