1. Home
  2. ગુજરાતી
  3. નેપાળમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 192 થી વધુ લોકોનું મૃત્યુ
નેપાળમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 192 થી વધુ લોકોનું મૃત્યુ

નેપાળમાં પૂર અને ભૂસ્ખલનને કારણે 192 થી વધુ લોકોનું મૃત્યુ

0
Social Share

• નેપાળી આર્મીના હેલિકોપ્ટરોએ 162 લોકોને એરલિફ્ટ કર્યા
• હાઈડ્રોપાવર પ્લાન્ટ્સ અને સિંચાઇ સુવિધાઓને ભારે નુકસાન

નવી દિલ્હીઃ નેપાળના ગૃહ મંત્રાલયએ એક નિવેદનમાં જણાવ્યું છે કે નેપાળમાં પૂર અને ભૂસ્ખલનને કારણે લગભગ 192 લોકોના મોત થયા છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિરામ તિવારીએ વિવિધ જિલ્લાઓમાં પૂર અને ભૂસ્ખલનથી થયેલા વિનાશ વિશે માહિતી શેર કરી. ગૃહ મંત્રાલયએ પુષ્ટિ કરી હતી કે આપત્તિઓમાં 111 લોકો ઘાયલ થયા હતાં, જ્યારે લગભગ 4,000 લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં.
સુરક્ષા એજન્સીઓની સાથે બચાવ અને રાહત કામગીરી સહિત સર્ચ ઓપરેશનને વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે. નેપાળી આર્મીના હેલિકોપ્ટરો કાવરે, સિંધુલી અને લલિતપુર જિલ્લાના ભાગોમાં ઘાયલ અથવા ફસાયેલા 162 લોકોને એરલિફ્ટ કરી રહ્યા છે. બીજી તરફ આપત્તિમાંથી બચી ગયેલા લોકોને ખાદ્ય સામગ્રી સહિતની રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. તેમજ ઈજાગ્રસ્તોને સરકારી આરોગ્ય કેન્દ્રોમાં સારવાર આપવામાં આવી રહી છે.

ઋષિરામ તિવારીએ વધુમાં જણાવ્યું છે કે કહ્યું, સરકાર તમામ સંબંધિત એજન્સીઓ વચ્ચે સંપૂર્ણ સંકલનમાં છે. બચાવ અને રાહત પ્રયાસોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. બ્લોક રોડ સાફ કરવાની સાથે પુનઃનિર્માણનું કામ પણ ચાલી રહ્યું છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સમિતિઓ અને સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન એકમો પણ સાથે મળીને કામ કરી રહ્યા છે. તો અવિરત વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે નેપાળના હાઈડ્રોપાવર પ્લાન્ટ્સ અને સિંચાઇ સુવિધાઓને ખરાબ રીતે નુકસાન થયું છે, જેના કારણે અંદાજે 4.35 અબજ નેપાળી રૂપિયા ($32.6 મિલિયન) નું નુકસાન થયું છે.

નેપાળના ઉર્જા, જળ સંસાધન અને સિંચાઈ મંત્રાલયના અધિકારીઓએ 29 ઓગસ્ટે એક પ્રેસ મીટિંગમાં જણાવ્યું હતું કે 27 સપ્ટેમ્બર અને 28 સપ્ટેમ્બરે અવિરત વરસાદને કારણે સર્જાયેલી આપત્તિમાં લગભગ 3 અબજ રૂપિયા (22.5 બિલિયન ડોલર) ના હાઇડ્રોપાવર અને ટ્રાન્સમિશન પ્રોજેક્ટને 3 બિલિયનનું નુકસાન થયું છે. જ્યારે નદી નિયંત્રણ અને સિંચાઈ પરિયોજનાઓને અંદાજે 1.35 અબજ રૂપિયા ($10.1 મિલિયન) નું નુકસાન થયું છે. તે ઉપરાંત 625.96 મેગાવોટની સંયુક્ત ઉત્પાદન ક્ષમતાવાળા 11 કાર્યરત હાઇડ્રોપાવર પ્લાન્ટ્સને નુકસાન થયું છે અને પૂરના કારણે અન્ય ઓપરેશનલ પ્લાન્ટ બંધ કરવા પડ્યા છે.

નેપાળના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ,100 મેગાવોટની ઉત્પાદન ક્ષમતા બંધ થઈ ગઈ છે. જે દેશના ઓપરેટીંગ પાવર પ્લાન્ટ્સની કુલ ક્ષમતાના લગભગ ત્રીજા ભાગની છે. બાંધકામ હેઠળના પંદર હાઇડ્રોપાવર પ્લાન્ટને પણ નુકસાન થયું હતું. હાઈડ્રોપાવર અને ટ્રાન્સમિશન લાઈનોને નુકસાન થવાને કારણે દેશના વિવિધ ભાગોમાં વીજ પુરવઠો સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. નેપાળ ઈલેક્ટ્રીસિટી ઓથોરિટીના મેનેજિંગ ડિરેક્ટર કુલ માન ઘિસિંગે જણાવ્યું હતું કે, આગામી શિયાળામાં દેશ માટે પર્યાપ્ત વીજળી પૂરી પાડવી પડકારરૂપ બની શકે છે, કારણ કે ક્ષતિગ્રસ્ત પાવર પ્લાન્ટ્સની જાળવણી અને સમારકામમાં સમય લાગે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code