1. Home
  2. ગુજરાતી
  3. નેપાળમાં અનરાધાર વરસાદ બન્યો આફત, પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક 220 પર પહોંચ્યો
નેપાળમાં અનરાધાર વરસાદ બન્યો આફત, પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક 220 પર પહોંચ્યો

નેપાળમાં અનરાધાર વરસાદ બન્યો આફત, પૂર અને ભૂસ્ખલનથી મૃત્યુઆંક 220 પર પહોંચ્યો

0
Social Share
  • લગભગ ચાર હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા
  • 30થી વધારે વ્યક્તિઓ ગુમ

નવી દિલ્હીઃ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 200ને વટાવી ગયો છે. 48થી વધુ લોકો હજુ પણ ગુમ છે. ભૂસ્ખલનમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. પૂરના પાણી ઓસરતા સરકારે લોકો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે.

ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક વધીને 220 થઈ ગયો છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિરામ તિવારીએ કહ્યું કે, સવારે 11 વાગ્યા સુધી દેશભરમાંથી મળેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં 204 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અત્યાર સુધીમાં ચાર ડઝન લોકો ગુમ થયાની જાણ થઈ છે.

સમગ્ર દેશમાંથી ગૃહ મંત્રાલયની ડિઝાસ્ટર મેનેજમેન્ટ બ્રાન્ચ પાસેથી મળેલા આંકડા દર્શાવે છે કે, અત્યાર સુધીમાં 49 લોકો ગુમ થયા હોવાની માહિતી મળી છે. પ્રવક્તા તિવારીએ કહ્યું કે, હાલમાં લગભગ 200 ઘાયલ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પૂર અને ભૂસ્ખલનમાં ફસાયેલા લગભગ ચાર હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

પ્રવક્તાએ કહ્યું કે, સરકારની પ્રાથમિકતા બેઘર લોકો માટે અસ્થાયી આવાસની વ્યવસ્થા કરવાની છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન કેપી શર્મા ઓલી આજે નેપાળ પહોંચતાની સાથે જ યોજાનારી કેબિનેટની બેઠકમાં અસરગ્રસ્ત લોકોને અસ્થાયી આવાસ બનાવવા માટે પ્રથમ હપ્તો આપવાનો નિર્ણય લેવામાં આવશે.

આ ઉપરાંત હાઈવેની કામગીરી પણ સરકારની પ્રાથમિકતા છે. ત્રણ દિવસ પછી ઘટસ્થાપન શરૂ થઈ રહ્યું છે અને કાઠમંડુમાંથી લગભગ 10 લાખ લોકો રોડ માર્ગે પોતપોતાના ઘરે જાય છે. હાલમાં કાઠમંડુથી બહાર જતા તમામ હાઇવે બંધ છે. સરકારની પ્રાથમિકતા તેમને ચલાવવાની છે. જેથી દશેરા નિમિત્તે લોકો પોતાના ગામ અને અન્ય શહેરોમાં જઈ શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code