1. Home
  2. ગુજરાતી
  3. બંદૂક સાફ કર્યા બાદ અચાનક મીસફાયર થતા ફિલ્મ અભિનેતા ગોવિંદા થયો ઈજાગ્રસ્ત
બંદૂક સાફ કર્યા બાદ અચાનક મીસફાયર થતા ફિલ્મ અભિનેતા ગોવિંદા થયો ઈજાગ્રસ્ત

બંદૂક સાફ કર્યા બાદ અચાનક મીસફાયર થતા ફિલ્મ અભિનેતા ગોવિંદા થયો ઈજાગ્રસ્ત

0
Social Share

મુંબઈઃ અભિનેતા ગોવિંદાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ અભિનેતા ગોવિંદા પોતાની બંદૂક સાફ કરી રહ્યાં હતા ત્યારે અચાનક મીસફાયરિંગ થતા પગમાં ઈજા થઈ હતી. અભિનેતા સવારે  કોલકતા જવા માટે નીકળી રહ્યા હતા. ત્યારે તેમની પીસ્તોલમાંથી મિસફાયર થતાં પગના ભાગે ગોળી વાગી હતી. તેમને સારવાર માટે ક્રિટી કેયર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ફાયરિંગ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગોવિંદાની રિવોલ્વર કબજામાં લઈ લીધી હતી. ગોવિંદાના પગમાં ગોળી વાગ્યા બાદ ખૂબ લોહી વહી ગયું હતું. જેના કારણે તેમનું સ્વાસ્થય લથડયું હતું. હાલમાં ગોવિંદા અંધેરીની કૃતિ કેર હોસ્પિટલમાં દાખલ છે. સમગ્ર કેસની પોલીસ તપાસ કરી રહી છે.

ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ જણાવ્યું કે, અભિનેતાની હાલત પહેલા કરતા સારી છે. તેઓ કોલકાતા જવાની તૈયારી કરી રહ્યા હતા,તે સમયે રિવોલ્વર સાફ કરીને કબાટમાં મુકવા જતા પિસ્તોલ જમીન પર પડી ગઇ હતી. જે બાદ તે માંથી મિસ ફાયર થયું અને ગોવિંદા ને ઘૂંટણે ગોળી વાગી હતી. આ સમગ્ર ઘટના પછી ગોવિંદાનું નિવેદન સામે આવ્યું છે કે, ‘મારી પોતાની ભૂલને કારણે આ ઘટના બની છે. અચાનક બંદૂકમાંથી ગોળી છૂટવાને કારણે પગમાં વાગી ગઈ.’’ આ સિવાય ગોવિંદાએ ફેન્સ, માતા-પિતા અને ભગવાનનો આભાર માન્યો છે.

ગોવિંદાની પત્ની સુનીતા આહુજા હાલ મુંબઈમાં નથી. ગોવિંદાને ગોળી વાગી હોવાની જાણ થતાં જ તે  મુંબઈ માટે રવાના થઈ ગઈ હતી. આગામી બે કલાકમાં તે મુંબઈ આવશે. ગોવિંદાએ હાલના દિવસોમાં એક્ટિંગની દુનિયાથી દૂરી બનાવી રાખી છે. તે લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી. જોકે તેના મ્યુઝિકલ વીડિયો આવતા રહે છે. આ સાથે તે ઘણા રિયાલિટી શોમાં પણ જોવા મળે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code