1. Home
  2. ગુજરાતી
  3. કોંગ્રેસ હિન્દુઓમાં ભાગલા પાડીને રાજ કરવામાં માને છેઃ નરેન્દ્ર મોદી
કોંગ્રેસ હિન્દુઓમાં ભાગલા પાડીને રાજ કરવામાં માને છેઃ નરેન્દ્ર મોદી

કોંગ્રેસ હિન્દુઓમાં ભાગલા પાડીને રાજ કરવામાં માને છેઃ નરેન્દ્ર મોદી

0
Social Share

મુંબઈઃ હરિયાણામાં ફરી સત્તા પ્રાપ્ત કર્યા બાદ હવે ભાજપની નજર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર ટકેલી છે. વડા પ્રધાન મોદીએ બુધવારે મહારાષ્ટ્રમાં ડિજિટલ માધ્યમ દ્વારા રૂ. 7,600 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તેમની ફોર્મ્યુલા ભાગલા પાડો અને રાજ કરોની છે. કોંગ્રેસના ષડયંત્રોથી સાવધાન રહેવાની જરૂર છે. કોંગ્રેસ ખેડૂતોને ઉશ્કેરવાનો સતત પ્રયાસ કરી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કોંગ્રેસ સંપૂર્ણ રીતે સાંપ્રદાયિક અને જાતિવાદી રેખાઓ પર ચૂંટણી લડે છે. હિંદુ સમાજને તોડીને તેની જીતની ફોર્મ્યુલા બનાવે છે, આ કોંગ્રેસની રાજનીતિનો આધાર છે. કોંગ્રેસ સર્વજન હિતાય-સર્વજન સુખાયની ભારતની પરંપરાને દબાવી રહી છે.”

પીએમ મોદીએ કહ્યું કે, “કોંગ્રેસની નીતિ હિંદુઓની એક જાતિને બીજી જાતિ સામે લડાવવાની છે. કોંગ્રેસ જાણે છે કે જેટલા હિંદુઓ વિભાજિત થશે, તેટલો ફાયદો થશે. કોંગ્રેસ કોઈપણ રીતે હિંદુ સમાજમાં આગમાં ફેલાવવા માંગે છે, જેથી જ્યાં પણ ભારતમાં ચૂંટણી થાય છે, કોંગ્રેસ એ જ ફોર્મ્યુલા લાગુ કરે છે.

નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, “મને દ્રઢપણે વિશ્વાસ છે કે મહારાષ્ટ્રના લોકો આજે સમાજને તોડવાના આવા દરેક ષડયંત્રને નિષ્ફળ બનાવશે. દેશના વિકાસને સર્વોપરી રાખીને મહારાષ્ટ્રની જનતાએ એક થઈને ભાજપ, મહાયુતિને સમર્થન આપવું પડશે.”

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં હરિયાણા વિધાનસભા ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, “કોંગ્રેસે યુવાનોને નિશાન બનાવ્યા અને તેમને અલગ-અલગ રીતે ભડકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હરિયાણાના યુવાનો, અમારી બહેનો અને દીકરીઓએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે માત્ર ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code