1. Home
  2. ગુજરાતી
  3. આયુર્વેદ હંમેશા લોકોના જીવનનો અભિન્ન ભાગ રહ્યો છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
આયુર્વેદ હંમેશા લોકોના જીવનનો અભિન્ન ભાગ રહ્યો છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

આયુર્વેદ હંમેશા લોકોના જીવનનો અભિન્ન ભાગ રહ્યો છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

0
Social Share

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સમગ્ર દેશમાં પરંપરાગત દવાઓની ઉપલબ્ધતા વધારવા માટે યુવાનોને આયુર્વેદ ક્ષેત્રમાં સાહસો સ્થાપવા પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

આજે નવી દિલ્હીમાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાના 8મા સ્થાપના દિવસની ઉજવણીનું ઉદ્ઘાટન કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આયુર્વેદ હંમેશા લોકોના જીવનનો અભિન્ન ભાગ રહ્યો છે.

રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે કેટલીક વ્યક્તિઓ અન્ય લોકો સાથે દગો કરે છે અને નકલી દવાઓ અને ભ્રામક જાહેરાતોનો પ્રચાર કરીને તેમના નાણાંનો દુરુપયોગ કરે છે તે મુદ્દા ઉપર પણ ભાર મૂક્યો હતો.. આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની હાકલ કરતાં રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે દેશમાં લાયકાત ધરાવતા આયુર્વેદિક ડોકટરોની જરૂર છે જેથી લોકોને અભણ પ્રેક્ટિશનરોનો સંપર્ક ન કરવો પડે.

રાષ્ટ્રપતિ મુર્મુએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં, આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી દિવસોમાં આયુર્વેદિક ડોકટરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે.

રાષ્ટ્રપતિએ ઇનોવેશન અને એન્ટરપ્રેન્યોરશિપ માટે ઇન્ક્યુબેશન સેન્ટર ધરાવવા બદલ ઇન્સ્ટિટ્યૂટની વધુ પ્રશંસા કરી હતી જેનો ઉદ્દેશ્ય યુવા ઇનોવેટર્સ અને સાહસિકોની ક્ષમતા વધારવાનો છે અને તેણે 50 સ્ટાર્ટઅપ્સની સ્થાપના કરવામાં મદદ કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code