1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે ફ્લાઈટ સાથે પક્ષી અથડાયું

0
Social Share

સુરત:  શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગોની એરલાઇન્સની ગોવા-સુરત-બેંગ્લોરની ફ્લાઇટ સાથે પક્ષી અથડાતા બર્ડહીટની ઘટના બની હતી. જોકે કોઈ નુશાન કે જાનહાની થઈ નહતી. જોકે, બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ કરાઈ હતી. જેથી 200 પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો

સુરતના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈન્સની ગોવા-સુરત-બેંગ્લોર ફ્લાઈટ બર્ડ હિટ ઘટનાની શિકાર બની હતી . ફ્લાઇટનું નિરીક્ષણ કરવા માટે દિલ્હીથી ઈન્ડિગોના એન્જિનિયરોની ટીમ મોડી રાત્રે સુરત પહોંચી હતી. જોકે, ઈન્ડિગો એરલાઈન્સે બેંગ્લોરની ફ્લાઈટ કેન્સલ કરી હતી. જેના કારણે 200 મુસાફરોની મુસાફરી ખોરવાઈ ગઈ હતી. આ ફ્લાઈટ મંગળવારે સવારે આઠ વાગે શિડયુલ કરવામાં આવી હતી

અરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગોની એરલાઇન્સની ગોવા-સુરત-બેંગ્લોરની ફ્લાઇટ સાથે ટીટોડી અથડાઈ હતી. જે ફ્લાઇટના ચેકિંગ માટે દિલ્હીથી ઇન્ડિગોની ઇજનેરોની ટીમ મોડી રાતે સુરત પહોંચી હતી. જોકે, બેંગ્લોરની ફ્લાઇટ કેન્સલ કરાઈ હતી. જેથી 200 પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો. ગોવામાં ખરાબ હવામાનથી ઇન્ડિગોની 6E418 સુરત એરપોર્ટ પર પોણા બે કલાક મોડી લેન્ડ થઈ હતી. 18ઃ30 કલાકની જગ્યાએ 19ઃ55 કલાકે લેન્ડ થઈ હતી. જે પણ વેસુ સાઇડથી લેન્ડ થઈ હતી. જો કે, તે જ સમયે ફ્લાઇટ સાથે ટીટોડી અથડાઈ હતી. ફ્લાઇટ સાથે બર્ડ હીટનો મેસેજ એટીસીને મળતા જ એરપોર્ટના કર્મચારીઓ બર્ડ શોધવા ઓપરેશનલ એરિયામાં ઊતરી પડ્યા હતા. એમાં ટીટોડી પક્ષીનો મૃતદેહ મળ્યો હતો. જેને વિધિવત રીતે કર્મીઓએ ઓપરેશનલ એરિયામાં જમીનમાં દાટી દીધું હતું. બર્ડ હીટથી ઓચિંતી ફ્લાઇટ કેન્સલ થતા બેંગ્લોર જનારા પેસેન્જરોને ઇન્ડિગો એરલાઇન્સે બે ઓપ્શન આપ્યા હતા. જેમાં એક ઓપ્શન મોર્નિંગની 8.00 કલાકની બેંગ્લોરની ફ્લાઇટનો અને બીજો પેસેન્જરોને રિફંડનો ઓપ્શન અપાયો હતો. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code