1. Home
  2. ગુજરાતી
  3. નીટના પરિણામોમાં કથિત ગેરરીતીઓની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાઈ
નીટના પરિણામોમાં કથિત ગેરરીતીઓની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાઈ

નીટના પરિણામોમાં કથિત ગેરરીતીઓની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાઈ

0
Social Share

નવી દિલ્હીઃ NEET UG 2024 ના પરિણામોની ઘોષણા પછી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી વિવાદોના ઘેરામાં છે. એજન્સી પર પરિણામમાં ગેરરીતિનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. દરમિયાન યુપીએસસીના ભૂતપૂર્વ અધ્યક્ષો અને શિક્ષણવિદોની એક સમિતિ NEETમાં થયેલી ગેરરીતિઓની તપાસ કરશે. કેસ માત્ર 6 કેન્દ્રો અને 1600 ઉમેદવારો પૂરતો મર્યાદિત છે. 1563 ઉમેદવારોને ગ્રેસ માર્કસ મળ્યા હતા જેમાંથી 790 ક્વોલિફાઇ થયા હતા.

પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે, NEET પરીક્ષામાં કથિત ગેરરીતિઓ માત્ર 6 કેન્દ્રો અને 1600 ઉમેદવારો સુધી મર્યાદિત છે. નિષ્ણાત સમિતિના અહેવાલની સમીક્ષા કરવા માટે નવી ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં ભૂતપૂર્વ UPSC અધ્યક્ષો અને શિક્ષણવિદોનો સમાવેશ થાય છે. કમિટી એક સપ્તાહમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. ત્યાર બાદ પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે.

NTA એ NEET UG 2024 પેપર લીક થવાના સમાચારને રદિયો આપ્યો હતો અને કહ્યું હતું કે પરીક્ષા ધોરણો અનુસાર લેવામાં આવી હતી. NEET પરીક્ષામાં 1563 ઉમેદવારોએ ગ્રેસ માર્ક્સ મેળવ્યા હતા, જેમાંથી 790 ઉમેદવારોએ ગ્રેસ માર્કસને કારણે પરીક્ષા પાસ કરી હતી. બાકીના ઉમેદવારોના માર્ક્સ નેગેટિવ આવ્યા હતા અથવા તો તેઓ પાસ થઈ શક્યા ન હતા. ગ્રેસ માર્ક્સની એકંદર પરિણામો પર કોઈ અસર થઈ નથી.

આ વર્ષે NEET UG પરીક્ષામાં, ઉમેદવારોએ ઉચ્ચ માર્કસ અને ઘણા ટોપર્સ જેવા મુદ્દા ઉઠાવ્યા હતા. એનટીએના ડીજીએ કહ્યું કે આન્સર કીમાં ફેરફાર કરવામાં આવતા 44 વિદ્યાર્થીઓને 715 થી 720 સુધીના માર્ક્સ મળ્યા અને ટોપર્સની સંખ્યા પણ વધીને 61 થઈ ગઈ છે.

NTAના મહાનિર્દેશક સુબોધ કુમાર સિંહે જણાવ્યું કે, છ કેન્દ્રોના લગભગ 1,600 વિદ્યાર્થીઓને ખોટા પ્રશ્નપત્રો આપવામાં આવ્યા હતા અને બેથી ત્રણ વિદ્યાર્થીઓને OMR શીટ્સ ફાડી હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે તેમને પરીક્ષા આપવા માટે ઓછો સમય મળ્યો હતો. અમારી સૂચના છે કે જો પરીક્ષા મોડી શરૂ થાય તો વિદ્યાર્થીઓને પૂરો સમય આપવામાં આવે, જેમ કે મોટાભાગના કેન્દ્રોમાં થયું છે, પરંતુ કેટલાક કેન્દ્રો પર પરીક્ષા એવી રીતે લેવામાં આવી હતી કે વિદ્યાર્થીઓને પૂરો સમય મળી શક્યો ન હતો.

અસરગ્રસ્ત વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા અથવા વળતર માર્કસ આપવાની માગણી સાથે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અમે હાઈકોર્ટને જવાબ આપ્યો કે અમે સમય મર્યાદાના મુદ્દાને જોવા માટે નિષ્ણાતોની એક સમિતિ બનાવી છે. જેની ભલામણના આધારે નિર્ણય લેવાયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code