Site icon Revoi.in

અમદાવાદમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા 50 જેટલા રાજવી પરિવારોનું કરાયું સન્માન

Social Share

અમદાવાદઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના વંશજો સહિત દેશના 50થી વધુ મોટા રાજવી પરિવારોનું સન્માન કરવાનો કાર્યક્રમ શહેરના ગોતા ખાતે યોજાયો હતો. જેમાં રાજવી વંશજોનું સન્માન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં મહારાણા પ્રતાપના વંશજ, ઉદેપુરના રાજવી, ગોંડલ સ્ટેટના રાજવી, વાંકાનેર સ્ટેટના રાજવીઓનું ઢોલ-નગારાં સાથે માનભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી આવી પહોંચેલા રાજવીઓએ સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને તમામ રાજવીઓએ શસ્ત્રપૂજન પણ કર્યું હતું. રાજવીઓને શાલ ઓઢાડી, સરદાર પટેલની પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું હતું.

અમદાવાદના ગોતા વિસ્તારમાં દેવનગર પાસેના પ્લોટમાં દેશના વીર પુરુષ એવા મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના રાજવી વંશજો સહિત દેશના 50થી વધુ મોટા રાજવી પરિવારોના સન્માનના કાર્યક્રમનું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયુ હતુ. રાજ્યનાં અલગ અલગ શહેરોમાંથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ગોતા ખાતે પહોંચ્યા રહ્યા છે. આ કાર્યક્રમમાં મહારાણા પ્રતાપના વંશજ, ઉદેપુરના રાજવી, ગોંડલ સ્ટેટના રાજવી, વાંકાનેર સ્ટેટના રાજવી આવી પહોંચતાં તમામનું ઢોલ-નગારાં સાથે માનભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી આવી પહોંચેલા રાજવીઓએ સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી તેમજ તમામ રાજવીઓએ શસ્ત્રપૂજન પણ કર્યું હતું. તમામ રાજવીઓ પરિવારના લોકો સાથે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓ અને રાજવીઓએ સાથે મળીને દીપ પ્રાગટ્ય કર્યું હતું. તમામ રાજવી પરિવારને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું છે. દેશભરમાંથી આવેલા રાજવીઓને શાલ ઓઢાડી, સરદાર પટેલની પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, શંકરસિંહ વાઘેલા, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી જાડેજા, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પૂર્વ મહેસૂલમંત્રી કૌશિક પટેલ, મેયર પ્રતિભા જૈન, તમામ ધારાસભ્યો અને નેતાઓ હાજર રહ્યાં હતા  ..

પાટડી સ્ટેટના રાજવી કુમાર હરપાલસિંહજી દેસાઈએ જણાવ્યું હતું કે,  રાજવી પરિવારનું સન્માન થઈ રહ્યું છે જે  ખુશીની વાત છે. દેશનાં તમામ રજવાડાંને એકત્રિત કરીને જે સ્થાપના કરવામાં આવી એ સરદાર સાહેબ સિવાય કોઈ ન કરી શકે. રાજવીઓનું મ્યુઝિયમ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ચોક્કસ બની જશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.  જે લોકોએ પોતાનું સર્વસ્વ સોંપી દીધું હતું તેમનું આજે સન્માન થઈ રહ્યું છે. તે ઉપરાંત મેવાડના મહારાણા પ્રતાપના વંશજ ડો.લક્ષ્યરાજસિંહએ જણાવ્યું હતુ. કે, રાષ્ટ્ર ચેતના મહાસંમેલન સામેલ થવાનો અવસર મળ્યો તે ગૌરવની વાત છે.