Site icon Revoi.in

સાબરકાંઠામાં કાર અને ટ્રેલર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, સાત લોકોના મોત

Social Share

• માર્ગ અકસ્માતમાં ઘાયલ એકની હાલત ગંભીર
• બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર
ગાંધીનગરઃ ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગર પાસે કાર અને ટ્રેલર વચ્ચેની અથડામણમાં સાત લોકોના મોત થયા છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. શામળાજીથી અમદાવાદ તરફ આવતી કાર ટ્રેલરના પાછળના ભાગ સાથે અથડાઈ હતી, જે બાદ હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, શામળાજી તરફથી કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. જો કે હજુ સુધી મૃતકોના નામ જાહેર કરવામાં આવ્યા નથી, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જીવ ગુમાવનારાઓમાં મોટાભાગના અમદાવાદના છે. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ મેળવવાની કાવયત શરૂ કરી છે.

હિંમતનગરના ડેપ્યુટી એસપી એ.કે. પટેલે જણાવ્યું હતું કે, “આજે સવારે હિંમતનગર હાઇવે પર એક કાર ભારે વાહન સાથે અથડાઈ હતી. કારમાં સવાર સાત લોકોના મોત નીપજ્યા હતા. એક ઘાયલ પણ થયો હતો. આ તમામ અમદાવાદના રહેવાસી છે.”