Site icon Revoi.in

લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરતા ફરતા પરિવારને અકસ્માત નડ્યોઃ ચારના મોત

Social Share

પાલનપુરઃ  જિલ્લાના રતનપુર પાસે લગ્ન પ્રસંગથી પરત આવતા પરિવારને કાળ ભરખી ગયો હતો. મોડી રાત્રે ઇકો કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 3 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસડેવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં આસપાસના લોકો એકઠાં થયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ સતલાસણા નાનીભાલું ગામનો પરિવાર દાંતીવાડામાં લગ્ન સમારોહ પતાવીને પોતાના ગામ પરત ફરી રહ્યાં હતા. ઇકો કારમાં નીકળેલો આ પરિવાર રતનપુર પાસે પહોંચ્યો ત્યારે ટ્રક સાથે ઇકો કારનો અકસ્માત થયો હતો. આ ભયાવહ અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે 7થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પરિવારના 7 સભ્યોમાંથી 3 સભ્યોના પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્તોની હાલ સારવાર ચાલી રહી છે. મૃતકોને પીએમ અર્થે ખસેડી પાલનપુર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રતનપુર પાસે  મોડી રાત્રે સર્જાયેલો ઇકો અને ટ્રક વચ્ચેનો અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત થયાની જાણ થતાં જ આસપાસ રહેતા લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અકસ્માતનો ભોગ બનેલાને બચાવવા બનતા પ્રયાસો કર્યા હતા.