1. Home
  2. ગુજરાતી
  3. વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા દક્ષિણના રાજ્યોનો ઝડપી વિકાસ જરૂરી
વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા દક્ષિણના રાજ્યોનો ઝડપી વિકાસ જરૂરી

વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા દક્ષિણના રાજ્યોનો ઝડપી વિકાસ જરૂરી

0
Social Share
  • PM મોદીએ 3 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી
  • દેશભરમાં 102 વંદે ભારત રેલ્વે સેવાઓ કાર્યરત

લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરઠ-લખનૌ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે હાજર રહેલા મેરઠના સાંસદ અરુણ ગોવિલે કહ્યું કે, ‘આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક છે. આજે મેરઠને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી તરફથી ભેટ મળી છે. વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મેરઠ-લખનૌ, મદુરાઈ-બેંગ્લોર અને ચેન્નાઈ-નાગરકોઈલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી.

વર્ચ્યુઅલ સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ‘આજે ઉત્તરથી દક્ષિણ સુધીની દેશની વિકાસ યાત્રામાં વધુ એક અધ્યાય જોડાયુ છે. વંદે ભારત ટ્રેન સેવાઓ આજથી મદુરાઈ-બેંગલુરુ, ચેન્નાઈ-નાગરકોઈલ અને મેરઠ-લખનૌ વચ્ચે શરૂ થઈ રહી છે. આજે શરૂ થયેલી ત્રણ વંદે ભારત ટ્રેનોએ દેશના મહત્વના શહેરો અને ઐતિહાસિક સ્થળોને કનેક્ટિવિટી પૂરી પાડી છે. આ ટ્રેનો યાત્રાળુઓને સુવિધા પૂરી પાડશે અને વિદ્યાર્થીઓ, ખેડૂતો, IT લોકોને ઘણો ફાયદો થશે. જ્યાં જ્યાં વંદે ભારતની સુવિધા પહોંચી રહી છે ત્યાં પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે દક્ષિણના રાજ્યોનો ઝડપી વિકાસ ખૂબ જ જરૂરી છે. દક્ષિણ ભારતમાં અપાર પ્રતિભા, અપાર સંસાધનો અને તકો છે. તેથી, તમિલનાડુ અને કર્ણાટક સહિત સમગ્ર દક્ષિણનો વિકાસ અમારી સરકારની પ્રાથમિકતા છે. છેલ્લા 10 વર્ષમાં આ રાજ્યોમાં રેલવેની વિકાસ યાત્રા તેનું ઉદાહરણ છે. આ વર્ષના બજેટમાં અમે તમિલનાડુને 6 હજાર કરોડ રૂપિયાથી વધુનું રેલવે બજેટ આપ્યું છે. જે 2014ના બજેટ કરતા 7 ગણા વધુ છે. તેવી જ રીતે આ વખતે કર્ણાટક માટે પણ 7 હજાર કરોડ રૂપિયાથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બજેટ પણ 2014 કરતા 9 ગણું વધારે છે.

મેરઠમાં વંદે ભારત અંગે વડાપ્રધાને કહ્યું, ‘આજે યુપી અને ખાસ કરીને પશ્ચિમ યુપીના લોકોને મેરઠ-લખનૌ રૂટ પર વંદે ભારત ટ્રેન દ્વારા સારા સમાચાર મળ્યા છે. મેરઠ અને પશ્ચિમ યુપી ક્રાંતિની ભૂમિ છે. આજે આ વિસ્તાર વિકાસની નવી ક્રાંતિનો સાક્ષી બની રહ્યો છે. વંદે ભારત એ ભારતીય રેલવેના આધુનિકીકરણનો નવો ચહેરો છે. આજે શહેરના દરેક રૂટ પર વંદે ભારતની માંગ છે. હાઇ-સ્પીડ ટ્રેનોના આગમનથી લોકોને તેમના વ્યવસાય, રોજગાર અને તેમના સપનાને વિસ્તારવાનો વિશ્વાસ મળે છે. આજે દેશભરમાં 102 વંદે ભારત રેલ્વે સેવાઓ કાર્યરત છે.

વડાપ્રધાને કહ્યું કે ‘છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી શક્યા છે. વર્ષોથી, રેલ્વેએ તેની સખત મહેનત દ્વારા દાયકાઓ જૂની સમસ્યાઓના ઉકેલની આશાઓ જગાવી છે, પરંતુ આ દિશામાં આપણે હજી લાંબી મજલ કાપવાની છે. જ્યાં સુધી ભારતીય રેલ્વે ગરીબ અને મધ્યમ વર્ગ માટે સુખદ મુસાફરીની ગેરંટી નહીં બને ત્યાં સુધી અમે રોકાઈશું નહીં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code