1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનને એડવાન્સ પ્રોપર્ટી ટેક્સની રૂપિયા 49 કરોડની થઈ આવક,
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનને એડવાન્સ પ્રોપર્ટી ટેક્સની રૂપિયા 49 કરોડની થઈ આવક,

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનને એડવાન્સ પ્રોપર્ટી ટેક્સની રૂપિયા 49 કરોડની થઈ આવક,

0
Social Share

ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો માટે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટની યોજના અમલમાં મુકવામાં આવી છે. જેને નાગરિકો દ્વારા સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.1લી એપ્રિલથી 25મી જુન સુધીમાં 94000થી વધુ કરદાતાઓએ 49.02 કરોડનો પ્રોપર્ટી ટેક્સ એડવાન્સમાં ભર્યો છે, એડવાન્સ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ 30મી જુન છે. એટલે એડવાન્સ ટેક્સ 50 કરોડને વટાવી જવાની શક્યતા છે.

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા એડવાન્સમાં મિલકતવેરો ભરનારા કરદાતાઓને 10 % પ્રોત્સાહક વળતર યોજના તા. 30 જુન સુધી અમલમાં છે. તા. 1/4/2024 થી તા.25/6/2024 સુધીમાં કુલ 94 હજાર 140 કરદાતાઓએ કુલ રૂ.49. 02 કરોડનો મિલકતવેરો એડવાન્સમાં ભરી દેતા મ્યુનિની તિજોરી છલકાઈ ગઈ છે. ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા નાણાંકીય વર્ષ 2024-2025 માં મિલકતવેરો ભરપાઈ કરવા ઉપર 10 % વળતર તેમજ ઓનલાઇન મિલકતવેરાની ચુકવણીનું 2 % વળતર આમ કુલ 12 % વળતર યોજના તા. 30 જુન સુધી અમલમાં છે. મ્યુનિ.દ્વારા દ્વારા મિલકતવેરો ઓનલાઈન તથા ઓફલાઈન બંને રીતે સ્વીકારવામાં આવે છે. ઓનલાઈન મિલકતવેરો ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની વેબસાઈટ gandhinagarmunicipal.com પર જઈને ભરી શકાશે. જેમાં ડેબિટ/ક્રેડિટ કાર્ડ, U.P.I, નેટ બેન્કિંગના વિકલ્પ આપવામાં આવ્યા છે જેની ગાઇડલાઇન પણ gandhinagarmunicipal.com પર મૂકવામાં આવેલી છે. તેમજ ઓફલાઇન મિલકતવેરો રોકડ સ્વરૂપે સવારે 9 થી બર્પોરે 3 કલાક સુધી તથા ચેક દ્વારા સવારે 9 થી સાંજે 5 કલાક સુધી ગાંધીનગર મ્યુનિની ઉત્તર ઝોનની કચેરી પેથાપુર ખાતે, મધ્ય ઝોનની કચેરી એમ.એસ.બિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફલોર, સેકટર-11 ખાતે તેમજ નવા સમાવિષ્ટ વિસ્તારમાં આવેલા જે તે ગામની જૂની પંચાયત કચેરી ખાતે સ્વીકારવામાં આવે છે.

ગાંધીનગર મ્યુનિના સૂત્રોએ જણાવ્યું છે કે, કરદાતાઓને બીલ ભરવા આવે ત્યારે જૂનું બીલ કે નાણાં ભર્યાની પાવતી સાથે લાવવી જરૂરી છે. ચાલુ નાણાંકીય વર્ષ 2024-25માં ઓનલાઇન માધ્યમથી મિલકતવેરો ભરવાનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. તા.1/4/2024 થી તા.25/6/2024 સુધી કુલ 94 હજાર 140 કરદાતાઓ દ્રારા કુલ રૂ.49. 02કરોડનો મિલકતવેરો એડવાન્સમાં ભરવામાં આવ્યો છે. જેમાંથી કુલ 47 હજાર 811 કરદાતાઓ દ્વારા 20 કરોડ 86 લાખનો મિલકતવેરો ઓનલાઇન માધ્યમથી ભરાયો છે. તથા કુલ 46 હજાર 329 કરદાતાઓ દ્વારા રૂ.28 કરોડ 26 લાખનો મિલકતવેરો કચેરી ખાતે ઓફલાઇન માધ્યમથી ભરેલો છે. જે કરદાતાઓ દ્વારા મિલકતવેરાની એડવાન્સ ચૂકવણી ન કરીને ઉપરોક્ત વળતર યોજનાનો લાભ લીધેલ નથી તેવા કરદાતાઓને 30મી જુન સુધી મિલકતવેરાની ચૂકવણી કરી વળતર યોજનાનો લાભ લઈ શકશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code