Site icon Revoi.in

અફઘાનિસ્તાન-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ: ગ્રેટર નોઈડામાં વરસાદને કારણે ચોથા દિવસની રમત પણ રદ્દ

Social Share

નવી દિલ્હીઃ શહીદ વિજય સિંહ પથિક સ્ટેડિયમમાં, સતત વરસાદ અને ભીના આઉટફિલ્ડને કારણે ગુરુવારે અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વન-ઑફ ટેસ્ટનો ચોથો દિવસ પણ રદ કરવામાં આવ્યો હતો. હવે એક પણ બોલ ફેંક્યા વિના, મેચ રદ્દ થવાની સંભાવના હોવાથી, આઈસીસી મેચ રેફરી જવાગલ શ્રીનાથે, નિર્ણય લેતા પહેલા શુક્રવાર સવાર સુધી રાહ જોવાનું નક્કી કર્યું છે.

રાતભર પડેલા ભારે વરસાદને કારણે, જમીનના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. કોઈપણ ટીમ સ્થળ પર પહોંચી ન હતી.જોકે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના કેટલાક અધિકારીઓ, ગ્રાઉન્ડ સ્ટાફ સાથે લાંબી ચર્ચા કરતા જોવા મળ્યા હતા. જેઓ ભારે વરસાદને કારણે હતાશ દેખાતા હતા. આ સ્થળ, જે તેની પ્રથમ ટેસ્ટનું આયોજન કરી રહ્યું છે, તેની સુવિધાઓ અને મૂળભૂત ડ્રેનેજની અછત માટે, તપાસ હેઠળ આવ્યું છે. સૂર્યપ્રકાશ હોવા છતાં શરૂઆતના થોડા દિવસો સુધી, કોઈ રમત ન હોવા બદલ ટીકાનો સામનો કર્યા પછી, સ્ટેડિયમના અધિકારીઓ અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાંથી, કવરનો ઓર્ડર આપ્યો. જ્યારે ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશને સુપરસુપર મોકલ્યા.

એસીબીના એક અધિકારીએ ફરી એકવાર અહીં ટેસ્ટ મેચની, યજમાની કરવાના બોર્ડના નિર્ણયનો બચાવ કરતા કહ્યું, “અમે વસ્તુઓને પાટા પર લાવવા માટે શક્ય તેટલી બધી કોશિશ કરી, પરંતુ હવામાને અમારી સમસ્યાઓમાં વધારો કર્યો.” અફઘાનિસ્તાને 2017થી આ સ્થળ પર ઘણી ટી-20અને વન ડે મેચોનું આયોજન કર્યું છે.