1. Home
  2. ગુજરાતી
  3. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપાના કાર્યાલય ઉપર ઝીંકાયા હથોડા
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપાના કાર્યાલય ઉપર ઝીંકાયા હથોડા

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપાના કાર્યાલય ઉપર ઝીંકાયા હથોડા

0
Social Share

કોલકતાઃ મુખ્યમંત્રી મમતા બેનર્જીની સૂચના બાદ પોલીસે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સહિત રાજ્યના ઘણા જિલ્લાઓમાં અતિક્રમણ વિરુદ્ધ અભિયાન તેજ કરી દીધું છે. આ અંતર્ગત કોલકાતામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ઓફિસ તોડી પાડવામાં આવી હતી. કોલકાતાના ગોરાગાચા, તરતાલામાં ભાજપ કાર્યાલય તોડી પાડવાની કાર્યવાહી દરમિયાન પોલીસ અને ભાજપાના કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળ પોલીસે છેલ્લા બે દિવસમાં ફૂટપાથ પર સ્થાપિત હજારો દુકાનોને હટાવી દીધી છે. મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ગુરુવારે ફૂટપાથ પર અતિક્રમણ કરનારા લોકો સામે વહીવટીતંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશને લઈને એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી હતી.

અહેવાલ મુજબ, ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કોલકાતા અને સોલ્ટ લેકમાં ખાદ્યપદાર્થો, કપડાં અને વિવિધ ઉત્પાદનો વેચવા માટે દુકાનો સ્થાપી રહેલા દબાણકારોને દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે કોલકાતા પોલીસે મંગળવારે સવારથી JCB મશીનની મદદથી ભવાનીપુર વિસ્તારમાં સરકારી SSKM હોસ્પિટલની સામે ફૂટપાથ, હાટીબાગન અને ગરિયાહાટ વિસ્તારોમાંથી શહેરના વિવિધ ભાગોમાંથી અતિક્રમણ કરનારાઓને દૂર કરવાનું શરૂ કર્યું હતું.

કોલકાતા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, “અમે શહેરના ફૂટપાથ પર કોઈપણ પ્રકારના અતિક્રમણને મંજૂરી આપીશું નહીં. સૌ પ્રથમ, અમે તેમને (સ્ટ્રીટ વેન્ડર્સ) તેમના વ્યવસાય ચલાવવા માટે તેમણે બનાવેલા અસ્થાયી માળખાને દૂર કરવા માટે કહી રહ્યા છીએ. જો તેઓ સહકાર ન આપતા હોય તો અમે અતિક્રમણ દૂર કરવા JCB મશીનનો ઉપયોગ કરી રહ્યા છીએ.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code