Site icon Revoi.in

લેબનાનમાં વધતા તણાવ વચ્ચે ભારતે પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી

Social Share

નવી દિલ્હીઃ લેબનોનમાં ઈઝરાયેલે હવાઈ હુમલાઓ તેજ કર્યા છે. હિઝબુલ્લાહ પણ ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે. જેના કારણે ત્યાંની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. આવી સ્થિતિમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા પોતાના નાગરિકોને દેશ છોડવા માટે કહ્યું છે. આ સિવાય આગામી સૂચના સુધી લેબનોન ન જવાની પણ સલાહ આપવામાં આવી છે.

તેમણે એવા લોકોને સલાહ આપી છે કે જેઓ વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ અહીં રહેવા માંગે છે તેઓને અત્યંત સાવધાની રાખવા અને દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. તેમણે લોકોની મદદ માટે એક નંબર પણ જારી કર્યો છે.

ભારતીય દૂતાવાસે નિવેદન જારી કર્યું
દૂતાવાસે કહ્યું, “લેબનોનમાં પહેલાથી જ હાજર તમામ ભારતીય નાગરિકોને પણ લેબનોન છોડવાની સખત સલાહ આપવામાં આવે છે. જેઓ કોઈપણ કારણોસર ત્યાં રહે છે તેઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ અત્યંત સાવધાની રાખવા, તેમની હિલચાલ મર્યાદિત કરે અને બેરૂતમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક અમારા ઈમેલ ID: cons.beirut@mea.gov.in અથવા ઈમરજન્સી ફોન નંબર +96176860128 દ્વારા સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.

યુકેએ પણ તેના નાગરિકોને લેબનોન છોડવા કહ્યું
તે જ સમયે, ઇઝરાયેલ અને ઇરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચેની લડાઈ તીવ્ર બન્યા પછી, વડા પ્રધાન કીર સ્ટારમેરે બ્રિટિશ નાગરિકોને લેબનોન છોડવા કહ્યું છે. તે જ સમયે, લગભગ 700 બ્રિટિશ સૈનિકોને સાયપ્રસમાં ઈમરજન્સી ખાલી કરાવવાની સ્થિતિમાં તૈનાત કરવામાં આવ્યા છે.

ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે રવાના થતા પહેલા લિવરપૂલમાં, પીએમ કીર સ્ટારમેરે કહ્યું કે હિંસામાં વધારાને ધ્યાનમાં રાખીને બ્રિટન તેની આકસ્મિક યોજનાઓ પર કામ કરી રહ્યું છે. તેણે ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વધવાની આશંકા પણ વ્યક્ત કરી છે.