Site icon Revoi.in

અરવિંદ કેજરીવાલ ટૂંક સમયમાં સીએમ આવાસ છોડશે

Social Share

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ આતિશી હવે રાષ્ટ્રીય રાજધાનીના નવા સીએમ છે. તેને ધ્યાનમાં રાખીને પૂર્વ સીએમ માટે દિલ્હીમાં રહેઠાણની શોધ તેજ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે AAP ચીફ જલ્દી જ સીએમ આવાસ ખાલી કરશે.

આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પાસે તેમને ઘર ફાળવવાની માંગ કરી હતી, હજુ સુધી પૂર્વ સીએમને આ અંગે કેન્દ્ર તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

હવે દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલના નિવાસને લઈને સમાચાર એ છે કે પાર્ટીના ઘણા ધારાસભ્યો, કાઉન્સિલરો, પાર્ટીના કાર્યકરો અને સામાન્ય નાગરિકો તેમની સામાજિક-આર્થિક અથવા રાજકીય પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના તેમને ઘર ઓફર કરી રહ્યા છે. તેમની પાસે આવેલા મોટાભાગના વિકલ્પો નવી દિલ્હી વિસ્તારની બહારના છે.

પૂર્વ સીએમ ક્યાં રહેવા માંગે છે?
અરવિંદ કેજરીવાલ પોતાના મતવિસ્તાર નવી દિલ્હીની આસપાસ રહેવાનું પસંદ કરી રહ્યા છે. જેથી તેઓ તેમના મતવિસ્તાર સાથે જોડાયેલા રહે. હાલ તો એ નક્કી નથી થયું કે પૂર્વ સીએમ ક્યાં રોકાશે, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં કોઈ સ્થળ નક્કી કરશે.

સંજસ સિંહે શું કહ્યું?
અગાઉ, AAP સાંસદ સંજય સિંહે 18 સપ્ટેમ્બરે કહ્યું હતું કે AAP નેતા કેજરીવાલ થોડા અઠવાડિયામાં સરકારી આવાસ ખાલી કરશે. અરવિંદ કેજરીવાલને સીએમ તરીકે ઘણી સુવિધાઓ મળી છે, પરંતુ રાજીનામું આપતાની સાથે જ તેમણે કહ્યું હતું કે તેઓ તમામ સરકારી સુવિધાઓ છોડી દેશે.

17 જૂને રાજીનામું આપ્યું હતું
તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલે 17 સપ્ટેમ્બરે દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપતી વખતે તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો તેમની ઈમાનદારી પર સવાલ ઉઠાવી રહ્યા છે, તેથી જ્યાં સુધી દિલ્હીના લોકો તેમને ફરીથી ચૂંટીને ઈમાનદારીનું પ્રમાણપત્ર નહીં આપે ત્યાં સુધી હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહીં. પોતાના એક નિવેદનમાં તેમણે એમ પણ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ ઈમાનદાર છે તે વિચારીને વિધાનસભા ચૂંટણીમાં મત આપો.