1. Home
  2. ગુજરાતી
  3. ઈઝરાયલ ઉપર હુમલો હાનિયા અને હસન નસરલ્લાહના મોતનો બદલો લેવા કર્યોઃ ઈરાન
ઈઝરાયલ ઉપર હુમલો હાનિયા અને હસન નસરલ્લાહના મોતનો બદલો લેવા કર્યોઃ ઈરાન

ઈઝરાયલ ઉપર હુમલો હાનિયા અને હસન નસરલ્લાહના મોતનો બદલો લેવા કર્યોઃ ઈરાન

0
Social Share
  • અમને સ્વરક્ષણનો અધિકારઃ ઈરાન
  • ઈઝરાયલ ઉપર અનેક રોકેટ છોડીને કર્યો હુમલો

નવી દિલ્હીઃ મીડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ ધીમે-ધીમે અન્ય દેશોમાં પણ વિસ્તરી રહ્યું છે. દરમિયાન ઈરાને ઈઝરાયલ ઉપર રોકેટથી હુમલો કર્યો હતો. ઈરાનના વિદેશ મંત્રાલયે ઈઝરાયેલ પરના હુમલાને લઈને એક નિવેદન જાહેર કર્યું છે. ઈરાને નિવેદનમાં કહ્યું છે કે, તેણે હાનિયા અને હસન નસરાલ્લાહના મોતનો બદલો લેવા માટે આ હુમલો કર્યો છે. ઈરાને એવો પણ દાવો કર્યો છે કે તેણે ઈઝરાયેલની સૈન્ય અને સુરક્ષા સંસ્થાઓને નિશાન બનાવી હતી.

ઈરાને કહ્યું છે કે, અમને સ્વરક્ષણનો અધિકાર છે. ઈરાન સ્વરક્ષણ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ઈરાને કહ્યું કે તેણે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના અનુચ્છેદ 51માં સમાવિષ્ટ સ્વ-બચાવના જન્મજાત અધિકાર અનુસાર ઈઝરાયેલ પર હુમલો કર્યો છે.

ઈરાને તેના નિવેદનમાં વધુ જણાવ્યું હતું કે, લાંબા સમય સુધી સંયમ રાખ્યા બાદ સ્વરક્ષણના અધિકારનો આશરો લેવો એ ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા પ્રત્યે તેના જવાબદાર વલણને દર્શાવે છે. એવા સમયે જ્યારે પેલેસ્ટિનિયન લોકો સામે ઇઝરાયેલની વધુ નરસંહારની નીતિઓ અને લેબનોન તથા સીરિયા

ઈરાને વધુમાં જણાવ્યું હતું કે ઈરાન કોઈપણ આક્રમક સૈન્ય કાર્યવાહી અને બળના ગેરકાયદેસર ઉપયોગ સામે તેના કાયદેસરના હિતોની અને તેની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વની રક્ષા કરવા માટે, જો જરૂરી હોય તો, વધુ રક્ષણાત્મક પગલાં લેશે આ સંદર્ભે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code