Site icon Revoi.in

કેદારનાથ પદયાત્રાના માર્ગ પર આભ ફાટ્યું, ભીમ બલીમાં 200 જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા

કેદારનાથ
Social Share

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે કેદારનાથ પદયાત્રાના માર્ગ પર ભીમ બલી નજીક આભ ફાટવાની ઘટના બની છે. માર્ગ પર ભારે કાટમાળ અને પથ્થરો પડ્યા છે. લગભગ 30 મીટર રોડ ધોવાઈ ગયો છે. લગભગ 150-200 મુસાફરો ત્યાં ફસાયેલા હોવાનું કહેવાય છે.

અકસ્માત બાદ રાહદારી માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ભીમ બલીમાં 150થી 200 શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. સતત વરસાદને કારણે કેદારનાથ ધામમાં મંદાકિની નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. ભીમ બાલીમાં આભત્ ફાટ્યા બાદ બચાવ ટુકડીઓ સ્થળ પર તહેનાત છે.

તે જ સમયે, સેક્ટર ગૌરીકુંડમાંથી માહિતી મળી છે કે નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે ગૌરી માઇ મંદિરને ખાલી કરાવવામાં આવ્યું છે. દરેકને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. તેમજ નદીના પાણીના સ્તરમાં વધારો થતાં પાર્કિંગ ખાલી કરાવવામાં આવ્યું છે. આ ઘટના બાદ SDRF, NDRF અને પોલીસ ઘટનાસ્થળે તહેનાત કરવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને હોસ્પિટલોને પણ એલર્ટ મોડ પર રહેવા સૂચના આપવામાં આવી છે.

રુદ્રપ્રયાગ જિલ્લા મેજિસ્ટ્રેટ સૌરભ ગહરવારે જણાવ્યું કે, કેદારનાથ ધામમાં ભારે વરસાદ ચાલુ છે. કેદારનાથમાં ભારે વરસાદ અને ભીમબલીમાં આભ ફાટવાને કારણે MRP નજીક 20થી 25 મીટર ફૂટનો રસ્તો ધોવાઈ ગયો છે. રસ્તામાં મોટા પથ્થરો છે. ભીમબલી જીએમવીએન ખાતે લગભગ 200 મુસાફરોને સુરક્ષિત રીતે રોકવામાં આવ્યા છે. કોઈ જાનહાનિ થઈ નથી.