Site icon Revoi.in

જેતપુર પાવી તાલુકામાં ‘સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા’ની થીમ સાથે જાગૃતતા ફેલાવવામાં આવી

Social Share

અમદાવાદઃ દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત રાજ્યના છોટાઉદ્દેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકામાં ‘સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા’ની થીમ સાથે જાગૃતતા ફેલાવવામાં આવી હતી.

અમારા છોટાઉદ્દેપુર જિલ્લાના પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે, આ થીમ મુજબ વાંકી ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાની સફાઈ હાથ ધરવામાં આવી હતી.

અમારા બનાસકાંઠાના પ્રતિનિધિ સંજીવ ચૌધરીના જણાવ્યા અનુસાર થરાદના આસોદર ખાતે સંપૂર્ણતા અભિયાન સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગ દ્વારા 6 ઇન્ડિકેટરની સફળતાની જાંખી રજૂ કરાઈ હતી. અને શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.