1. Home
  2. ગુજરાતી
  3. બાંગ્લાદેશમાં જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ, આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસ કરાશે
બાંગ્લાદેશમાં જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ, આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસ કરાશે

બાંગ્લાદેશમાં જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ, આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસ કરાશે

0
Social Share

નવી દિલ્હીઃ સરકારી નોકરીઓમાં અનામતને લઈને દેશભરમાં વિદ્યાર્થીઓના હિંસક વિરોધને પગલે બાંગ્લાદેશ સરકારે જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. બાંગ્લાદેશ સરકારે કટ્ટરપંથી પક્ષ પર આંદોલનનો ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે, જેમાં ઓછામાં ઓછા 150 લોકો માર્યા ગયા હતા.

માહિતી અનુસાર, જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ શાસક વડા પ્રધાન શેખ હસીનાની અવામી લીગની આગેવાની હેઠળના 14-પક્ષીય ગઠબંધનની બેઠકના એક દિવસ પછી લેવામાં આવ્યો છે, જેમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયા બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (બીએનપી)નું સહયોગી જમાતને રાજનીતિમાં પ્રતિબંધિત કરવું જોઈએ.

બાંગ્લાદેશના કાયદા પ્રધાન અનીસુલ હકે જણાવ્યું હતું કે બ્રિટિશ શાસન હેઠળ અવિભાજિત ભારતમાં 1941માં સ્થાપના કરાયેલી પાર્ટી જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ મૂકતો એક કાર્યકારી આદેશ હશે. મંત્રીએ દાવો કર્યો હતો કે અનામત વિરોધી ચળવળ દરમિયાન વિરોધ કરનારા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે તેમનો હિંસા સાથે કોઈ સંબંધ નથી, જ્યારે એવા પુરાવા છે કે જમાત, તેની વિદ્યાર્થી પાંખ ઈસ્લામી છાત્ર શિબિર, ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (BNP) અને તેના છાત્ર મોરચાની આતંકવાદી પાર્ટી છાત્રદળે આ હિંસા કરી હતી.

બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ જણાવ્યું હતું કે તેમની સરકાર સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવા માટે તાજેતરના અનામત વિરોધી આંદોલન દરમિયાન થયેલા મૃત્યુની તપાસ કરતી ન્યાયિક તપાસ સમિતિ માટે વિદેશી તકનીકી સહાય માંગશે. એક સ્થાનિક અખબારે પીએમ હસીનાને ટાંકીને કહ્યું કે, “અમે ન્યાયિક તપાસ સમિતિને યોગ્ય, ગુણવત્તાયુક્ત અને ઉચ્ચ સ્તરની બનાવવા માટે વિદેશી તકનીકી સહાય લઈશું.”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code