1. Home
  2. ગુજરાતી
  3. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે તુલસી,પરંતુ આ સમસ્યાઓમાં ન કરો તેનું સેવન
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે તુલસી,પરંતુ આ સમસ્યાઓમાં ન કરો તેનું સેવન

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે તુલસી,પરંતુ આ સમસ્યાઓમાં ન કરો તેનું સેવન

0
Social Share
  • સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તુલસી
  • પરંતુ વધુ માત્રામાં તુલસીનું ન કરવું સેવન
  • તુલસીના સેવનથી વધી શકે છે આ સમસ્યા

તુલસીનો છોડ દરેક ઘરમાં સરળતાથી મળી જશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તુલસીના ઘણા ફાયદા છે.આયુર્વેદમાં તુલસીના પાન અને તેના અર્કનો ઉપયોગ તમામ રોગોને દૂર કરવા માટે કરવામાં આવે છે.પરંતુ કેટલીક બીમારીઓમાં તુલસીના સેવનથી સમસ્યા વધી શકે છે, જેના વિશે લોકો ઘણીવાર જાણતા નથી

તુલસીના પાન લોહીને પાતળું કરે છે.જો તમને ઈજા થઈ હોય અને લોહી નીકળતું હોય તો તમારે તુલસીનું સેવન ન કરવું જોઈએ.આ સિવાય જો તમે કોઈ સર્જરી કરાવવા જઈ રહ્યા હોવ તો થોડા સમય પહેલા તુલસીનું સેવન બંધ કરી દો.

દરેક વસ્તુનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.ઘણી વખત લોકો લાભ મેળવવા માટે તેનો વધુ ઉપયોગ કરે છે.પરંતુ શું તમે જાણો છો કે,તુલસીના વધુ પડતા સેવનથી સ્ત્રી અને પુરૂષ બંનેની પ્રજનન ક્ષમતા પર અસર પડી શકે છે.તેનાથી શુક્રાણુઓની સંખ્યા ઘટી શકે છે.તો,મહિલાઓમાં આના કારણે ગર્ભાશયમાં ફળદ્રુપ ઇંડા રહેવાની સંભાવના પણ ઓછી થઈ શકે છે.જો તમે વંધ્યત્વની સારવાર કરાવી રહ્યા છો,તો નિષ્ણાતની સલાહ લીધા પછી જ તુલસીનું સેવન કરો.

તુલસી તાસીરમાં ગરમ હોય છે, તેથી સગર્ભા મહિલાઓએ તેનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ.તુલસીમાં યુજેનોલ જોવા મળે છે,જેના કારણે ગર્ભાશયમાં સંકોચન થઈ શકે છે.આ કસુવાવડનું જોખમ પણ વધારી શકે છે.એવામાં, તુલસીનું સેવન કરતા પહેલા ચોક્કસ નિષ્ણાતની સલાહ લો.

તુલસીનું સેવન કરતી વખતે ક્યારેય દાંત વડે ચાવવું નહીં.તુલસીના પાનમાં પારો હોય છે,તે દાંત માટે સારું માનવામાં આવતું નથી. તુલસીના પાનમાં પણ આર્સેનિક જોવા મળે છે, જે દાંતને નુકસાન પહોંચાડે છે.તુલસીનું સેવન હંમેશા પાણી અથવા અન્ય કોઈ વસ્તુ સાથે ગળીને કરો અથવા તેને પાણી અથવા ચામાં ઉકાળો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code