1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા અડધો ડઝન ટ્રેનોના સમયમાં કરાયો ફેરફાર
ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા અડધો ડઝન ટ્રેનોના સમયમાં કરાયો ફેરફાર

ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા અડધો ડઝન ટ્રેનોના સમયમાં કરાયો ફેરફાર

0
Social Share

ભાવનગરઃ પશ્વિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા અડધો ડઝન ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ભાવનગર-મહુવા, કાકીનાડા-ભાવનગર, મહુવા-ભાવનગર, બાંદ્રા-ભાવનગર સાપ્તાહિક, બાંદ્રા-પાલિતાણા સાપ્તાહિક અને ઓખા-ભાવનગર દૈનિક ટ્રેનનો સમાવેશ કરાયો છે.

ભાવનગર રેલવે ડિવિઝનની લાંબા અંતરની ટ્રેનોના સમયસર સંચાલન માટે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ટ્રેન નં.19205 ભાવનગર-મહુવા દૈનિક એક્સપ્રેસનો 17 જુલાઇ, 2024થી ઢસા સ્ટેશન પર આવવાનો સમય સવારે 11.30ને બદલે 11.44 કલાકનો રહેશે, તેવી જ રીતે મહુવા સ્ટેશન સુધીના તમામ સ્ટેશનો પરના સમયમાં ફેરફાર કરવામાં આવશે. ભાવનગરથી ઇંગોરાળા સ્ટેશન સુધી કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં. આ ઉપરાંત ટ્રેન નં. 12755 કાકીનાડા-ભાવનગર સુપરફાસ્ટ 18મી જુલાઈ, 2024થી સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન પર 15.30 કલાકને બદલે 15.15 કલાકે આવશે, આમ આ ટ્રેન 16 મિનિટ વહેલા સુરેન્દ્રનગર ગેટ સ્ટેશન પર આવશે અને તે મુજબ સુરેન્દ્રનગર ગેટ સ્ટેશનથી 16 મિનિટ વહેલા ઉપડશે. અન્ય કોઈ સ્ટેશન પર આ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટ્રેન નં.19206 મહુવા-ભાવનગર એક્સપ્રેસ 18મી જુલાઈ, 2024થી મહુવા સ્ટેશનથી 14.50 કલાકને બદલે 15.00  કલાકે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ સ્ટેશને 19.50 કલાકને બદલે 20.00 કલાકે પહોંચશે.

આ ઉપરાંત ટ્રેન નં. 22963  બાંદ્રા-ભાવનગર સાપ્તાહિક સુપરફાસ્ટના 15 જુલાઈ,2024થી  બોટાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 03.33/03.34 કલાકને બદલે 03.40 /03.42  કલાકનો રહેશે અને ભાવનગર સ્ટેશન પર આગમનનો સમય 05.45 કલાકના બદલે 05.55 કલાકો રહેશે.. બાંદ્રાથી વઢવાણ સિટી સ્ટેશન સુધી આ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ટ્રેન નં. 22935 બાંદ્રા-પાલિતાણા સાપ્તાહિક સુપરફાસ્ટના 16 જુલાઈ, 2024થી બોટાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 03.33/03.34 કલાકને બદલે 03.40 /03.42  કલાકનો રહેશે અને પાલીતાણા સ્ટેશન પર પહોંચવાનો સમય 06.00 કલાકના બદલે 06.25 કલાકનો રહેશે. બાંદ્રાથી વઢવાણ સિટી સ્ટેશન સુધી આ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર દૈનિક એક્સપ્રેસનો 17 જુલાઈ, 2024થી રાણપુર સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 02.40/02.41 કલાકને બદલે 02.44 /02.45 કલાકનો રહેશે અને ભાવનગર સ્ટેશન પર પહોંચવાનો સમય  05.30  કલાકના બદલે 05.45 કલાકનો રહેશે. તેમજ ઓખાથી લીંબડી સ્ટેશન સુધીની આ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code