Site icon Revoi.in

બોલીવુડની અભિનેત્રી ઐશ્વર્યા રાય અને રાની મુખર્જીની મિત્રતામાં આ કારણે પડી હતી તીરાડ

Social Share

બોલિવૂડમાં ઘણા એવા સેલેબ્સ છે જેમને વર્ષોથી પોતાની મિત્રતા જાળવી રાખી છે. બીજી તરફ અહીં મિત્રતા તોડવી પણ સામાન્ય બાબત છે. ગ્લેમર વર્લ્ડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે ગઈકાલ સુધી સારા મિત્રો હતા, પરંતુ આજે તેઓ એકબીજાની સામે જોવાનું પણ પસંદ કરતા નથી. ઐશ્વર્યા રાય અને રાની મુખર્જીની વચ્ચે પણ એક સમયે ગાઢ મિત્રતા હતી પરંતુ પછી અચાનક જ તેમના સંબંધોમાં તિરાડ આવી ગઈ અને વર્ષો પછી પણ તેઓ સમાધાન કરી શક્યા નથી.

રાની મુખર્જી અને ઐશ્વર્યા રાય એક જ પેઢીની બે અભિનેત્રીઓ છે, તેઓએ ઘણી ફિલ્મોમાં તેમની અભિનય શક્તિ સાબિત કરી અને લાંબા સમય સુધી સિલ્વર સ્ક્રીન પર રાજ કર્યું. જોકે, રાની અને ઐશ્વર્યાએ ક્યારેય તેમની વચ્ચે કોઈ પણ પ્રકારની દુશ્મનાવટનું દબાણ આવવા દીધું નથી. જો કે, કેટલાક કારણોસર બંને વચ્ચે શીત યુદ્ધ શરૂ થઈ ગયું હતું અને તે સમયે તેની ખૂબ ચર્ચા થઈ હતી. રાનીએ પણ એકવાર પુષ્ટિ કરી હતી કે ઐશ્વર્યાને તેની સાથે સમસ્યા છે. ચાલો જાણીએ એ ઘટના જેના કારણે ઐશ્વર્યા રાય અને રાની મુખર્જીની મિત્રતામાં તિરાડ પડી હતી.

ખરેખર, ઐશ્વર્યા રાય અને રાની મુખર્જી વચ્ચેના સંબંધોમાં કડવાશનું કારણ બોલિવૂડના બે સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાન હતા. આ ઘટના ફિલ્મ ‘ચલતે ચલતે’ દરમિયાન બની હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા રાય અને સલમાન ખાન વચ્ચેના સંબંધો સારા નહોતા ચાલી રહ્યા. એક દિવસ સલમાન ખાને ફિલ્મના સેટ પર એક મોટો સીન કર્યો હતો. જે બાદ શાહરૂખ ખાન, જે ફિલ્મના નિર્માતાઓમાંના એક હતા. તેણે ઐશ્વર્યાને ફિલ્મમાંથી હટાવવાનો નિર્ણય કર્યો અને તેની જગ્યાએ રાની મુખર્જીને લીધી હતી.

ફિલ્મમાંથી હટાવવાથી ઐશ્વર્યાને ઘણો આઘાત લાગ્યો હતો. જ્યારે તેણીને ખબર પડી કે તેણીની મિત્ર રાની મુખર્જીને ફિલ્મમાં લેવામાં આવી છે ત્યારે તેણીને વધુ દુઃખ થયું. આવી સ્થિતિમાં ઐશ્વર્યાને લાગ્યું કે તેના BFFએ તેની સાથે છેતરપિંડી કરી છે. આ સમાચાર આવ્યા બાદ રાની અને ઐશ્વર્યા વચ્ચે શીતયુદ્ધ શરૂ થઈ ગયું હતું. અગાઉ રાની મુખર્જી કરણ જોહરના શો કોફી વિથ કરણમાં કરીના કપૂર સાથે ગઈ હતી ત્યારે તેણે ઐશ્વર્યા રાય સાથેના પોતાના કોલ્ડ વોર વિશે ખુલીને વાત કરી હતી.

કરણે રાનીને ઐશ્વર્યા સાથેની તેની દુશ્મનાવટ વિશે પૂછ્યું હતું અને શું બંને વચ્ચે કોઈ મતભેદ છે. અફવાઓને સમર્થન આપતાં રાનીએ કહ્યું હતું કે, “તમે તેનું કારણ જાણો છો.” રાનીએ વધુમાં કહ્યું હતું કે, “મને કોઈની સાથે કોઈ સમસ્યા નથી, અને હું હજુ પણ તેને પસંદ કરું છું. મને ઐશ સાથે કોઈ અંગત સમસ્યા નથી. મને લાગે છે કે તેને કોઈ સમસ્યા હોઈ શકે છે કારણ કે તેણે મારી સાથે ફોન પર વાત કરવાનું બંધ કર્યું હતું. અને હું તેને સામાજિક રીતે ક્યાંય મળી નથી.”

ઐશ્વર્યા રાય અને રાની મુખર્જીની મિત્રતામાં તિરાડને 21 વર્ષ થઈ ગયા છે, પરંતુ આજ સુધી તેમના મતભેદો દૂર નથી થયા.