1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં CBRT પદ્ધતિ રદ કરવા ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં CBRT પદ્ધતિ રદ કરવા ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન

ગાંધીનગરમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં CBRT પદ્ધતિ રદ કરવા ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન

0
Social Share

ગાંધીનગરઃ પાટનગર ગણાતા ગાંધીનગરમાં આજે વન વિભાગમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઈઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ અને નોર્મલાઈઝેશન મેથડને કારણે અન્યાય થઈ રહ્યો હોવાના મુદ્દે ઉમેદવારોએ ધરણાં -પ્રદર્શન કર્યા હતા. ગાંધીનગરના રામકથા મેદાનમાં એકઠા થયેલા ફોરેસ્ટ ગાર્ડની ભરતીના ઉમેદવારો દ્વારા નોર્મલાઈઝેશન સાથે માર્ક્સ જાહેર કરવા અને તમામ ઉમેદવારોના રિઝલ્ટ PDF પ્રમાણે જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.

ગુજરાતમાં વનવિભાગની ભરતીની 2022માં જાહેરાત બાદ 8થી 27 ફેબ્રુઆરી 2024માં પરીક્ષા લેવાઇ હતી. જેમાં 823 પદ માટે 8 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. બે દિવસ અગાઉ CBRT એટલે કે (કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ) અને નોર્મલાઈઝેશન મેથડના કારણે ઉમેદવારોને અન્યાય થયાની રાજ્યના અલગ અલગ જિલ્લાઓના ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન આજે ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો ગાંધીનગરના રામકથા મેદાને ભેગા થયા હતા.

ગાંધીનગર ખાતે ઊમટી પડેલા ઉમેદવારોની માંગ છે કે, છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા,ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર સહિત અલગ અલગ સવર્ગ અને કેડરની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલાં કહેવામાં આવતું હતું કે, આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલી તમામ પરીક્ષાઓમાં અનેક છબરડા સામે આવ્યા છે.

ઉમેદવારોના કહેવા મુજબ બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે, તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી, કોઈ પેપર ખૂબ સહેલાં નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરાં નીકળે છે. પછી નોર્મલાઇઝેશન મેથડનો ઉપયોગ કરી જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોકસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જાળવતા નથી. આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકશાનકારક અને અન્યાય કર્તા છે. તે પણ આ CBRT પદ્ધતિને કારણે દૂર થવી જોઈએ.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code