Site icon Revoi.in

કેન્દ્ર સરકારની મલાવી અને ઝિમ્બાબ્વેમાં 2 હજાર મેટ્રિક ટન ચોખાની નિકાસ કરવાની મંજૂરી

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બે આફ્રિકન દેશો મલાવી અને ઝિમ્બાબ્વેમાં 2 હજાર મેટ્રિક ટન નોન-બાસમતી ચોખાની નિકાસ કરવાની મંજૂરી આપી છે. સૂચના અનુસાર, આ બંને દેશોને દરેક એક હજાર મેટ્રિક ટન નોન-બાસમતી ચોખાની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જારી કરાયેલી એક સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, મલાવી અને ઝિમ્બાબ્વેમાં 2 હજાર મેટ્રિક ટન બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

સૂચના અનુસાર, નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ (NCEL) દ્વારા નિકાસને મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત આ બંને દેશોમાં એક હજાર મેટ્રિક ટન નોન-બાસમતી ચોખાની નિકાસ કરવામાં આવશે. ગયા વર્ષે બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ હતો

નોંધનીય છે કે, સ્થાનિક પુરવઠો વધારવા અને કિંમતોને અંકુશમાં રાખવા માટે, 20 જુલાઈ, 2023 થી બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ વિનંતી પર, સરકારે તેમની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેટલાક દેશોમાં નિકાસને મંજૂરી આપી છે.

અગાઉ, ભારત સરકારે નેપાળ, કેમરૂન, કોટે ડી’આવિયર, ગિની, મલેશિયા, ફિલિપાઇન્સ અને સેશેલ્સ જેવા દેશોમાં આવી નિકાસની મંજૂરી આપી છે.