Site icon Revoi.in

મુખ્યમંત્રીનો ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ કાલે ગુરૂવારે યોજાશે

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો,  પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતી કાલે ગુરૂવાર, તા. 24મી ઓક્ટોબરે બપોરે યોજાશે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઓક્ટોબર-2024નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ આવતી કાલે તા. 24મી ઓક્ટોબરે યોજાશે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ,  કાલે ગુરૂવારે 24મી ઓક્ટોબરે બપોરે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે. સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા. 24મી ઓક્ટોબરે સવારે 8.30 વાગ્યાથી 11.30  કલાક સુધીમાં મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2 ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.